અલ્હાબાદ કોર્ટના જજને ટ્રેન મુસાફરી દરમિયાન પડી અગવડ, પત્ર લખી માગ્યો જવાબ, પછી CJIએ આપ્યો જવાબ!


  • Published By :
  • Published Date : 2023-07-24 14:05:12

ભારતીય રેલવે લાઈનને ભારતનું ધબકતું હૃદય માનવામાં આવે છે. લાખો લોકો ટ્રેનમાં સફર કરી પોતાના ડેસ્ટિનેશન પર પહોંચતા હોય છે. પરંતુ આ ઈન્ડિયન રેલવેઝ છે. અનેક કલાકો ટ્રેન લેટ હોતી હોય છે. ટ્રેનની મુસાફરી દરમિયાન સામાન્ય માણસને અનેક તકલીફો પડતી હોય છે. અવ્યવસ્થાને કારણે અનેક ફરિયાદો પણ રહેતી હોય છે પરંતુ પોતાની સમસ્યાને રજૂ કરે તો કરે ક્યાં? સામાન્ય લોકો પાસે નથી તો કોઈ સત્તા કે નથી તો કોઈ સાંભળવવા વાળું. આ વાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે આ વખતે અગવડ અલ્હાબાદ હાઈકોર્ટના જજને પડી હતી. 

ઉચ્ચ અદાલતનો પત્ર

જજને અગવડ પડી તો રેલવે વિભાગ પાસેથી માગ્યો જવાબ!

ટ્રેનની મુસાફરી કરતા લોકોને અનેક વખત આપણે કહેતા સાંભળ્યા હશે કે ટ્રેન તો આટલા કલાક મોડી જ હશે, આરામથી રેલવે સ્ટેશન પહોંચીએ. વાત પણ સાચી છે અનેક ટ્રેનો અનેક કલાકો સુધી મોડી હોતી હોય છે. સામાન્ય જનતા માટે ટ્રેન લેટ હોવી સામાન્ય વસ્તુ છે પરંતુ જો તમે કોઈ ઉચ્ચ અધિકારી છો તો તમને આ વાત એકદમ પરેશાન કરી શકે છે. આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કે થોડા સમય પહેલા અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ ગૌતમ ચૌધરી પોતાની પત્ની સાથે નવી દિલ્હીથી પ્રયાગરાજ ટ્રેન મારફતે જઈ રહ્યા હતા. પરંતુ જે ટ્રેનમાં તેમને જવાનું હતું તે ટ્રેન અનેક કલાકો લેટ હતી. જેને લઈ ન્યાયાધીશને અગવડ પહોંચી અને પછી તો શું, અલ્હાબાદ હાઈકોર્ટના રજીસ્ટ્રાર દ્વારા ઉત્તર મધ્યમ રેલવે પ્રયાગરાજના જનરલ મેનેજરને પત્ર મોકલવામાં આવ્યો હતો. 


અગવડ પડવાની પાછળ આ કારણો છે જવાબદાર!

જે પત્ર મોકલવામાં આવ્યો હતો તેમાં ઉલ્લેખ હતો કે ટ્રેન 3 કલાકથી વધુ મોડી ચાલી રહી હતી, અને સંબંધિત સત્તાવાળાઓને વિલંબની જાણ કરવામાં આવી હોવા છતાં, ન્યાયાધીશ ચૌધરીની જરૂરિયાતો પૂરી કરવા માટે એક પણ સરકારી રેલવે પોલીસ કર્મચારી કોચમાં હાજર ન હતો. તે સિવાય મુસાફરી દરમિયાન પેન્ટ્રી કારનો કોઈ કર્મચારી જસ્ટિસ પાસે નાસ્તો આપવા પણ પહોંચ્યો ન હતો. અને જ્યારે પેન્ટ્રી કાર મેનેજરને ફોન કરવામાં આવ્યો તો પણ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો. પત્રમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, “આવી ઘટનાથી જસ્ટિસ ચૌધરીને ભારે અસુવિધા અને નારાજગી થઈ છે  





ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયાએ જજને આપી આ નસીહત 

જ્યારે સમગ્ર ઘટનાની જાણ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને થઈ ત્યારે મુખ્યન્યાયાધીશને પત્ર લખી સલાહ આપી હતી. પત્રમાં ઉલ્લેખ હતો કે જજોને મળતી પ્રોટોકોલની સુવિધાઓથી સામાન્ય માણસને તકલીફ ન પડવી જોઈએ. સીજેઆઈએ કહ્યું કે હાઈકોર્ટના ન્યાયાધીશનો રેલ્વે કર્મચારીઓ પર અનુશાસનીય અધિકાર નથી. પ્રોટોકોલ સુવિધાઓનો ઉપયોગ ન્યાયાધીશો દ્વારા વિશેષાધિકારનો દાવો કરવા માટે થવો જોઈએ નહીં. વધુમાં તેમણે કહ્યું કે હું હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને પત્ર લખીને વિનંતી કરી રહ્યો છું કે તેઓ સાથી ન્યાયાધીશો સાથે આત્મનિરીક્ષણ કરે. કોર્ટમાં આત્મનિરીક્ષણ અને પરામર્શ જરૂરી છે. ન્યાયાધીશોને આપવામાં આવતી પ્રોટોકોલ સુવિધાઓનો ઉપયોગ અન્યને અસુવિધા અથવા કોર્ટની જાહેર ટીકા તરફ દોરી ન જાય. પોતાના પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે "પ્રોટોકોલ સુવિધાઓ" મળે છે તે "સત્તા અને સત્તાના અભિવ્યક્તિ" તરીકે જોવામાં ન આવે. 


લોકો કરી રહ્યા છે CJIના નિર્ણયની પ્રશંસા

ચીફ જસ્ટિસની વાતને લોકો બિરદાવી રહ્યા છે. આ પત્ર પર લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સીજેઆઈના આવા નિર્ણયથી લોકો પ્રભાવિત થયા છે. તેમના વ્યક્તિત્વની લોકો પ્રશંસા કરી રહ્યા છે. દરેક જગ્યાઓ આવો નિર્ણય કરવો જોઈએ, વીઆઈપી કલ્ચર નાબુદ થવો જોઈએ તેવી વાતો લોકો કરવા લાગ્યા છે.    



રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?

ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.