સર્વપક્ષીય બેઠકમાં મરાઠા આંદોલનના સમર્થનમાં સર્વાનુમતે પ્રસ્તાવ પસાર, મનોજ જરાંગે ઉપવાસ મુદ્દે અડગ


  • Published By :
  • Published Date : 2023-11-01 18:39:58

મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન હિંસક બની રહ્યું છે, રાજ્યમાં હાલ ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતી જોવા મળી રહી છે. આ સ્થિતી અંગે મંથન કરવા માટે રાજ્યની શિંદે સરકારે એક સર્વપક્ષીય બેઠક બોલાવી હતી જેમાં આ મુદ્દે વિચાર-વિમર્સ કરવામાં આવ્યું હતું. બાદમાં તમામ પક્ષોના અગ્રણી નેતાઓએ સરકારના દરખાસ્ત પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. આ બેઠકમાં ઉપમુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીશ, (ભાજપ), એનસીપી અધ્યક્ષ શરદ પવાર (એનસીપી),  બાલા સાહેબ થોરાટ, (કોંગ્રેસ), પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ (કોંગ્રેસ), શિવસેના (ચૂબીટી) નેતા અનિલ પરબ સહિતના અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ આ તમામ નેતાઓએ આમરણ ઉપવાસ પર ઉતરેલા મનોજ જરાંગેને પણ ઉપવાસ છોડવાની અપીલ કરી હતી. આ ઓલ પાર્ટી  મીટિંગમાં મરાઠા અનામતના સમર્થનમાં સર્વ સમંતીથી પ્રસ્તાવ પસાર કરીને હિંસાની ઘટનાઓને વખોડી હતી. તમામ નેતાઓએ કહ્યું હતું કે આ કારણે આંદોલન બદનામ થઈ રહ્યું છે.



મનોજ જરાંગેએ ઉપવાસને લઈ અડગ 


મરાઠા અનામતને લઈ આમરણ ઉપવાસ પર ઉતરેલા મનોજ જરાંગેએ જાહેરાત કરી છે કે જો રાજ્ય સરકાર તેમની માગ પૂરી નહીં કરે તો તે આજ સાંજથી જ પાણી પીવાનું બંધ કરી દે છે. જાલના જિલ્લાના અંતરવાલી સરાટી ગામાં 25 ઓક્ટેબરથી ભૂખ હડતાળ પર બેઠેલા જરાંગેએ તમામ પક્ષોના નેતાઓને મરાઠા આંદોલનને સમર્થન આપવાની અપીલ કરી હતી.   


રાજ્યમાં પરિસ્થિતી તંગ



મરાઠા અનામત આંદોલનની આગ રાજ્યના તમામ વિસ્તારોમાં ફેલાઈ છે. રાજ્યમાં મરાઠા અનામતનું સમર્થન કરનારા સંગઠનોના લગભગ 500 કાર્યકર્તા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ લોકો પર પુના પોલીસે મુંબઈ-બેંગલુરૂ હાઈ-વે બ્લોક કરવા અને ટાયરો સળગાવવાનો આરોપ છે. રાજ્યના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં બીડ વહીવટી તંત્રએ જિલ્લાના કેટલાક ભાગોમાં બુધવાર સવારે કર્ફ્યું લગાવી દીધો હતો તથા ઈન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવામાં આવી હતી.  જિલ્લામાં 99 લોકોની ધરપકડ કરવામાં આવી છે.



Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.

એક સમય ભારતીય જનતા પાર્ટીમાં એવો હતો કે સંજય જોશીને તમે હેપ્પી બર્થડે કહો તો તમને ટિકિટ મળતી . પરંતુ હવે સંજય જોશીને હેપી બર્થડે કહેવાથી તમારી હકાલપટ્ટી થાય છે. હજી પણ સંગઠનમાં સંજય જોશીનું નામ લેવું આટલું ખતરનાક ગણાય છે . કેમ કે થોડાક સમય પેહલા થયું એવું કે , જિલ્લો બોટાદ તેનો તાલુકો ગઢડા . ગઢડા તાલુકા ભાજપ પ્રમુખે સંજય જોશીને સોશ્યિલ મીડિયા પર જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. પરંતુ હવે તેમની પર રાજીનામુ આપી દેવાનું દબાણ ઉભું થયું છે. થોડાક સમય પેહલા સંજય જોશી ગુજરાત આવ્યા હતા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઇના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરી નાખ્યો છે. ચાઇના પર નાખેલા ટેરીફની રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગની પેહલી પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો આ તરફ યુરોપીઅન યુનિયને અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવા પર રોક લગાવી દીધી છે. તો બીજી તરફ અમેરિકા અને રશિયાએ ઈસ્તંબુલમાં એક રાજદ્વારી બેઠક યોજી હતી .