સર્વપક્ષીય બેઠકમાં મરાઠા આંદોલનના સમર્થનમાં સર્વાનુમતે પ્રસ્તાવ પસાર, મનોજ જરાંગે ઉપવાસ મુદ્દે અડગ


  • Published By :
  • Published Date : 2023-11-01 18:39:58

મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન હિંસક બની રહ્યું છે, રાજ્યમાં હાલ ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતી જોવા મળી રહી છે. આ સ્થિતી અંગે મંથન કરવા માટે રાજ્યની શિંદે સરકારે એક સર્વપક્ષીય બેઠક બોલાવી હતી જેમાં આ મુદ્દે વિચાર-વિમર્સ કરવામાં આવ્યું હતું. બાદમાં તમામ પક્ષોના અગ્રણી નેતાઓએ સરકારના દરખાસ્ત પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. આ બેઠકમાં ઉપમુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીશ, (ભાજપ), એનસીપી અધ્યક્ષ શરદ પવાર (એનસીપી),  બાલા સાહેબ થોરાટ, (કોંગ્રેસ), પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ (કોંગ્રેસ), શિવસેના (ચૂબીટી) નેતા અનિલ પરબ સહિતના અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ આ તમામ નેતાઓએ આમરણ ઉપવાસ પર ઉતરેલા મનોજ જરાંગેને પણ ઉપવાસ છોડવાની અપીલ કરી હતી. આ ઓલ પાર્ટી  મીટિંગમાં મરાઠા અનામતના સમર્થનમાં સર્વ સમંતીથી પ્રસ્તાવ પસાર કરીને હિંસાની ઘટનાઓને વખોડી હતી. તમામ નેતાઓએ કહ્યું હતું કે આ કારણે આંદોલન બદનામ થઈ રહ્યું છે.



મનોજ જરાંગેએ ઉપવાસને લઈ અડગ 


મરાઠા અનામતને લઈ આમરણ ઉપવાસ પર ઉતરેલા મનોજ જરાંગેએ જાહેરાત કરી છે કે જો રાજ્ય સરકાર તેમની માગ પૂરી નહીં કરે તો તે આજ સાંજથી જ પાણી પીવાનું બંધ કરી દે છે. જાલના જિલ્લાના અંતરવાલી સરાટી ગામાં 25 ઓક્ટેબરથી ભૂખ હડતાળ પર બેઠેલા જરાંગેએ તમામ પક્ષોના નેતાઓને મરાઠા આંદોલનને સમર્થન આપવાની અપીલ કરી હતી.   


રાજ્યમાં પરિસ્થિતી તંગ



મરાઠા અનામત આંદોલનની આગ રાજ્યના તમામ વિસ્તારોમાં ફેલાઈ છે. રાજ્યમાં મરાઠા અનામતનું સમર્થન કરનારા સંગઠનોના લગભગ 500 કાર્યકર્તા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ લોકો પર પુના પોલીસે મુંબઈ-બેંગલુરૂ હાઈ-વે બ્લોક કરવા અને ટાયરો સળગાવવાનો આરોપ છે. રાજ્યના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં બીડ વહીવટી તંત્રએ જિલ્લાના કેટલાક ભાગોમાં બુધવાર સવારે કર્ફ્યું લગાવી દીધો હતો તથા ઈન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવામાં આવી હતી.  જિલ્લામાં 99 લોકોની ધરપકડ કરવામાં આવી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે