જાણો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત મુલાકાતની પળેપળની માહિતી


  • Published By :
  • Published Date : 2022-10-29 20:49:43

આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી મોદીના ત્રણ દિવસીય પ્રવાસમાં તેઓ ગુજરાત અને રાજસ્થાનની મુલાકાત લેશે. રક્ષા ક્ષેત્રે ભારતને આત્મ નિર્ભર બનાવવા માટે પ્રધાનમંત્રી વડોદરામાં પ્લેન બનાવતા એકમનું ખાતમુહૂર્ત કરશે. ભારતના ખાનગી ક્ષેત્રમાં આ પ્રથમ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠાના થરાદમાં પાણી પુરવઠો વધારવા 8000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ શરૂ કરાવશે. ત્યાર બાદ અમદાવાદના અસારવા વિસ્તારમાં 2900 કરોડના રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. 


પ્રધાનમંત્રી સરદાર પટેલને સ્મરણાંજલિ આપશે

31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટના દર્શન કરશે. રાષ્ટ્રીય એકતા દિવસના રોજ પ્રધાનમંત્રી સરદાર પટેલની પ્રતિમાને સ્મરણાંજલિ આપશે. કેવડિયા કોલોની ખાતે જવાનો સાથે પણ સંવાદ કરશે. પ્રધાનમંત્રી મોદી 680 કરોડ રૂપિયાના ખર્ચે ગોધરા મેડિકલ કોલેજના વિકાસ અને કૌશલ્યા સ્કિલ યુનિવર્સિટીના વિસ્તરણનો શિલાન્યાસ કરશે.

માનગઢ હિલ નરસંહાર

પહેલી નવેમ્બરે પ્રધાનમંત્રી રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં પહોંચશે, જ્યાં તેઓ ‘માનગઢ ધામ કી ગૌરવ ગાથા’ના કાર્યક્રમમાં હાજરી આપશે. માનગઢ હિલ ભીલ સમુદાય અને રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશની અન્ય જાતિઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન જ્યાં ભીલો અને અન્ય જાતિઓ અંગ્રેજો સાથે લડાઈ લડી હતી. 1.5 લાખથી વધુ ભીલોએ 17મી નવેમ્બર 1913ના રોજ માનગઢ હિલ ખાતે શ્રી ગોવિંદ ગુરુના નેતૃત્વમાં રેલી કાઢી હતી. જેના પર અંગ્રેસ સરકારે ગોળીબાર કર્યો હતો જેમાં આશરે 1500 આદિવાસીઓ શહીદ થયા.

પ્રધાનમંત્રીની પંચમહાલ મુલાકાત

પ્રધાનમંત્રી મોદી પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે 860 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેઓ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના નવા કેમ્પસને ખુલ્લો મૂકશે. પ્રધાનમંત્રી વાડેક ગામમાં આવેલી સંત જોરિયા પરમેશ્વર પ્રાથમિક શાળા અને સ્મારક અને દાંડિયાપુરા ગામ સ્થિત રાજા રૂપસિંહ નાયક પ્રાથમિક શાળા અને સ્મારકને પણ સમર્પિત કરશે.




અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.