22 જાન્યુઆરીના દિવસે અડધો દિવસ બંધ રહેશે Gujaratની સરકારી કચેરીઓ, Ram Mandir Pran Pratistha મહોત્સવને લઈ લેવાયો નિર્ણય


  • Published By :
  • Published Date : 2024-01-19 10:41:50

22 જાન્યુઆરીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. અનુષ્ઠાનની શરૂઆત થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે દેશભરની સરકારી કચેરીઓ અને શાળા-કોલેજોમાં સવારથી બપોર 2.30 વાગ્યા સુધી અડધા દિવસની રજા રહેશે. ગુજરાતમાં પણ અનેક ધારાસભ્યો દ્વારા આ પ્રકારની માગ કરવામાં આવી હતી. ત્યારે ગુરૂવારે ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યના તમામ લોક આ ઉજવણીમાં ભાગ લઈ શકે તે હેતુસર 22-01-2024ના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ માટે બપોરના 2.30 સુધી બંધ રહેશે. 


કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો પરિપત્ર

રામ ભક્તો 22 જાન્યુઆરીની પ્રતિક્ષા કરી રહ્યા છે જ્યારે ભગવાન રામની મૂર્તિને મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અનુષ્ઠાનની શરૂઆત થઈ ગઈ છે, મંદિરમાં મૂર્તિને રાખવામાં આવી છે. આ બધા વચ્ચે ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. 

Image

રાજ્ય સરકારે પણ અડધા દિવસની રજા કરી જાહેર 

દેશભરની સરકારી કચેરીઓ અને શાળા-કોલેજોમાં સવારથી બપોરે 2.30 વાગ્યા સુધી અડધા દિવસની રજા રહેશે. કેન્દ્ર સરકારે આ હેતુ માટે અડધા દિવસની રજા જાહેર કરી છે, જેથી લોકો રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકે. આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જાહેરાત કરી કે અયોધ્યામાં 'રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા'ને ધ્યાનમાં રાખીને 22 જાન્યુઆરીએ તમામ કેન્દ્ર સરકારની કચેરીઓ અડધા દિવસ માટે બંધ રહેશે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ આવો નિર્ણય લેવામાં આવ્યો છે. 22 જાન્યુઆરીએ સરકાર હસ્તક બોર્ડ અને નિગમોની કચેરીઓ સહિત તમામ સરકારી કચેરીઓમાં બપોરે 2.30 વાગ્યા સુધી રજા રહેશે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!