22 જાન્યુઆરીના દિવસે અડધો દિવસ બંધ રહેશે Gujaratની સરકારી કચેરીઓ, Ram Mandir Pran Pratistha મહોત્સવને લઈ લેવાયો નિર્ણય


  • Published By :
  • Published Date : 2024-01-19 10:41:50

22 જાન્યુઆરીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. અનુષ્ઠાનની શરૂઆત થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે દેશભરની સરકારી કચેરીઓ અને શાળા-કોલેજોમાં સવારથી બપોર 2.30 વાગ્યા સુધી અડધા દિવસની રજા રહેશે. ગુજરાતમાં પણ અનેક ધારાસભ્યો દ્વારા આ પ્રકારની માગ કરવામાં આવી હતી. ત્યારે ગુરૂવારે ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યના તમામ લોક આ ઉજવણીમાં ભાગ લઈ શકે તે હેતુસર 22-01-2024ના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ માટે બપોરના 2.30 સુધી બંધ રહેશે. 


કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો પરિપત્ર

રામ ભક્તો 22 જાન્યુઆરીની પ્રતિક્ષા કરી રહ્યા છે જ્યારે ભગવાન રામની મૂર્તિને મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અનુષ્ઠાનની શરૂઆત થઈ ગઈ છે, મંદિરમાં મૂર્તિને રાખવામાં આવી છે. આ બધા વચ્ચે ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. 

Image

રાજ્ય સરકારે પણ અડધા દિવસની રજા કરી જાહેર 

દેશભરની સરકારી કચેરીઓ અને શાળા-કોલેજોમાં સવારથી બપોરે 2.30 વાગ્યા સુધી અડધા દિવસની રજા રહેશે. કેન્દ્ર સરકારે આ હેતુ માટે અડધા દિવસની રજા જાહેર કરી છે, જેથી લોકો રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકે. આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જાહેરાત કરી કે અયોધ્યામાં 'રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા'ને ધ્યાનમાં રાખીને 22 જાન્યુઆરીએ તમામ કેન્દ્ર સરકારની કચેરીઓ અડધા દિવસ માટે બંધ રહેશે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ આવો નિર્ણય લેવામાં આવ્યો છે. 22 જાન્યુઆરીએ સરકાર હસ્તક બોર્ડ અને નિગમોની કચેરીઓ સહિત તમામ સરકારી કચેરીઓમાં બપોરે 2.30 વાગ્યા સુધી રજા રહેશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.