ગુજરાતની આ બેઠક પર સૌની નજર,ગુજરાતને આપ્યા બે મુખ્યપ્રધાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-26 16:30:33

ઘાટલોડિયા વિધાનસભા બેઠક કે જેમણે ગુજરાતને આપ્યા બે મુખ્યપ્રધાન, જાણો શું છે આ બેઠકની વિશેષતા

ભાજપ-કોંગ્રેસ અને આપની નજર આ વખતે એક બેઠક પર ખાસ રહેશે એ બેઠક છે અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠક..અમદાવાદ શહેરની ઘાટલોડિયા બેઠક એ સામાન્ય બેઠકો કરતા અલગ છે. કારણકે, આ બેઠક એ સત્તા સાથે સીધો સંબંધ ધરાવે છે. ભાજપના ગઢ સમાન આ બેઠક પર જીત મેળવવી ભાજપ માટે જાણે રમતની વાત છે જ્યારે કોંગ્રેસ માટે કપરા ચઢાણ બીજી એક ખાસ બાબત એ છે કે આ બેઠકને સરકાર સાથે ખાસ સંબંધ છે. આ બેઠકથી જાણે ગુજરાતના નવા મુખ્યમંત્રી પદનો રસ્તો સીધો ખુલી જાય છે. આ બેઠકે ગુજરાતને બે મુખ્યપ્રધાન આપ્યા છે.

ઘાટલોડિયા બેઠક અમદાવાદના શહેરી વિસ્તારની બેઠકમાં આવે છે. આ બેઠક ભાજપની બેઠક તરીકે ઓળખાય છે. આ બેઠકનું સીમાંકન એવી રીતે કરવામાં આવ્યું છે કે અહીં એક પણ મુસ્લિમ મતદાર નથી. આ બેઠકમાં પણ એવું માનવામાં આવે છે કે અહીં વ્યક્તિગત નહીં પણ પક્ષ મહત્ત્વનો છે. જો ભાજપ અહીંથી કોઈને પણ ટિકિટ આપે તો તેમની જીત નિશ્ચિત માનવામાં આવે છે.

 
જ્ઞાતિનું ગણિતઃ

અમદાવાદ શહેરની ઘાટલોડિયા વિધાનસભા બેઠક પાટીદાર અને રબારીનો પ્રભુત્વ ધરાવતા વિસ્તાર તરીકે ઓળખાય છે. ઘાટલોડિયા બેઠકમાં 3.74 લાખ મતદારો છે. અહીં પાટીદાર મતદારોની સંખ્યા 70થી 78 હજાર માનવામાં આવે છે તો રબારી-માલધારી સમાજના 40 હજારથી વધુ મતદારો છે. આ સિવાય ઠાકોર, દલિત અને અન્ય સમાજની વસ્તી પણ નિર્ણાયક છે. ઘાટલોડિયા વિસ્તારમાં 53 ટકા પુરુષો અને 47 ટકા મહિલાઓ છે.

 

ઘાટલોડિયા વિધાનસભાનો ચૂંટણીનો ટ્રેક રેકોર્ડઃ
વર્ષ    જીતનાર ઉમેદવાર    પક્ષ
2012    આનંદીબેન પટેલ    ભાજપ
2017    ભૂપેન્દ્ર પટેલ    ભાજપ

 

2012ની ચૂંટણીમાં આનંદીબેન પટેલની સામે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડેલા રમેશભાઈ પટેલને માત્ર 44 હજાર મત મળ્યા હતા. જ્યારે આનંદીબેન પટેલને 1 લાખ 54 હજાર મત મળ્યા હતા. તે જ સમયે, 2017 ઘાટલોડિયા બેઠક પર, પાટીદાર આંદોલન છતાં, કોંગ્રેસના શશિકાંત પટેલને અહીં 57902 મત મળ્યા હતા. જ્યારે ભૂપેન્દ્ર પટેલને 1 લાખ 75 હજાર મત મળ્યા હતા.

 

 

 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે