રાજકોટમાં અલકાયદા મોડ્યુલનો પર્દાફાશ, ગુજરાત ATSએ આતંકી સંગઠન અલકાયદાના 3 આતંકીની ધરપકડ કરી


  • Published By :
  • Published Date : 2023-08-01 15:43:58

ગુજરાત ATSએ રાજકોટમાં અલકાયદા મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત ATSએ સફળ ઓપરેશન કરી, રાજકોટમાંથી આતંકી સંગઠન અલકાયદા (Al Qaeda) સાથે સાંઠગાંઠ ધરાવતા 3 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. અમન મલિક, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝ ઉપરાંત અન્ય 8થી 10 લોકોની ધરપકડ કરી છે.  ગુજરાત ATSએ આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા 3 આતંકીઓ પાસેથી હથિયાર પણ જપ્ત કર્યા છે. આ ત્રણેય આતંકી છેલ્લાં 6 મહિનાથી રાજકોટની સોની બજારમાં કામ કરતા હતા. આ ત્રણેય આતંકીઓ ગુજરાતમાં અલકાયદાનો પ્રચાર કરતા હતા અન્ય મુસ્લિમોને પણ કટ્ટરતાનું ઝેર પિવડાવતા હતા.


અમદાવાદ લાવવામાં આવ્યા

 

ગુજરાત ATSએ ઝડપેલાં ત્રણ આરોપીઓ પાસેથી એક પિસ્તોલ અને ત્રણ કારતૂસ મળી આવ્યા છે. ATSની દ્વારા રાજકોટમાં ગઈકાલે રાજકોટમાં ધામા નાખ્યા હતા અને રાત્રિના સમયે બંને આરોપીઓને ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. તેઓ રાજકોટની સોની બજારમાં બંગાળી કારીગર તરીકે કામ કરતા હતા અને સોનીનું પણ કરતા હતા. છેલ્લાં 6 મહિનાથી તેઓ રાજકોટની સોની બજારમાં રહેતા હતા. પરંતુ ATS દ્વારા માહિતીના આધારે ગઈકાલે રાજકોટમાં ધામા નાખ્યા હતા. પૂછપરછ બાદ ત્રણેય આરોપીઓને મોડી રાત્રે ATSની ટીમ દ્વારા અટકાયત કરી અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ATSની ટીમ દ્વારા સાંજ સુધીમાં સમગ્ર મામલે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને ત્યારબાદ સમગ્ર માહિતી બહાર આવશે. ATSના જણાવ્યા પ્રમાણે ત્રણેય આતંકીઓ લાંબા સમયથી અલકાયદાના સંપર્કમાં હતા, તેઓ સંપૂર્ણપણે કટ્ટરપંથી બની ગયા છે. ધરપકડ કરાયેલા શકમંદો પશ્ચિમ બંગાળના રહેવાસી છે.


ઇનપુટના આધારે ગુજરાત ATSએ કરી ધરપકડ


ગુજરાત ATSએ અગાઉ પોરબંદરમાંથી અફઘાનિસ્તાન ભાગી રહેલા ચાર શકમંદોની ધરપકડ કરી હતી. આ પછી ATS ઘણા વધુ શકમંદોની ધરપકડ કરી હતી. બાદમાં આ સમગ્ર મામલો તપાસ માટે NIAને સોંપવામાં આવ્યો હતો. આ પછી એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં ધરપકડ કરાયેલા શકમંદોએ ભારત પરના હુમલા અંગેના શપથ પણ લીધા હતા. હવે ATSએ રાજકોટમાં આ ત્રણ નવા શકમંદોની ધરપકડ કરી છે. PM મોદીની રાજકોટ મુલાકાત બાદ ATSની આ મોટી કાર્યવાહી થઈ છે. PM મોદી ગયા અઠવાડિયે જ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. ATSના અધિકારીઓએ તેમની પાસેથી ઘણી વસ્તુઓ રિકવર કરી છે. અધિકારીઓનું કહેવું છે કે, તેઓ સર્વેલન્સમાંથી મળેલા ઇનપુટ પર પકડાયા હતા. વધુ તપાસમાં વધુ કેટલાક ખુલાસા થઈ શકે છે. ગત મહિનામાં ગુજરાત ATS દ્વારા પોરબંદરમાં સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતુ.  પોરબંદરમાંથી ગુજરાત એટીએસ દ્વારા મહિલા સહિત ચાર લોકોને દબોચી લીધા હતા. મળતી માહિતી પ્રમાણે આ ચારેય આતંકીઓ અલ કાયદાના સક્રિય ગૃપના સભ્યો છે. આ લોકો છેલ્લા એક વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા. આ અંગેની કાર્યવાહી કરવા માટે IG દિપેન ભદ્રન સહિતનો કાફલો પોરબંદર પહોંચ્યો હતો. ગુપ્ત બાતમીના આધારે પોરબંદર પહોંચીને ગુજરાત ATSએ આ કાવતરાનો પર્દાફાશ કર્યો હતો.


વોટ્સએપ ચેટ અને કોલ ડિટેઇલ મળ્યા


ઝડપાયેલા ત્રણેય લોકો ગુજરાતમાં અલકાયદાનો પ્રચાર-પ્રસાર કરતા હતા. અલકાયદાનું નેટવર્ક ધરાવતા આ શખ્સોની રોજે રોજ મુલાકાત થતી હતી. સાથે જ તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી અન્ય મુસ્લિમ કર્મચારીને સંગઠનમાં જોડાવા માટે પ્રેરિત કરતા હતા. ATSની તપાસમાં આ અંગેની ત્રણેય આરોપીની વોટ્સએપ ચેટ અને કોલ ડિટેઇલ મળી આવી છે. ગઇકાલે રાત્રે ગુજરાત ATS દ્વારા આ ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. જે પછી ATSની 6 જેટલી ટીમે ઓપરેશન પાર પાડ્યુ. આ બંગાળી કામ કરી રહ્યા હતા તે સમયે જ તેમને પકડી લેવામાં આવ્યા હતા.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!