અખાત્રીજના દિવસે લોકોએ સોનાની ધૂમ ખરીદી કરી, માત્ર અમદાવાદમાં જ અંદાજે 250 કિલો સોનુ વેચાયું


  • Published By :
  • Published Date : 2023-04-22 17:53:57

આજે અક્ષય તૃતીયા એટલે કે, અખાત્રીજના પવિત્ર દિવસ છે. આજના દિવસને વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે. આજે સમગ્ર દેશમાં વિવિધ ધાર્મિક અને સામાજીક શુભ પ્રસંગો યોજાયા હતા. જો કે હિન્દુ પરંપરા મુજબ આજના દિવસે સોનું ખરીદવું તે શુભ ગણાય છે. આજે અખાત્રીજના દિવસે રાજ્યના તમામ મોટા શહેરોમાં લોકો સોનું ખરીદવા માટે ઉમટ્યા હતા. મોંઘવારી અને મંદીની બુમો પાડતા લોકોએ મનમુકીને સોનાના આભુષણોની ખરીદી કરી હતી. આજે 24 કેરેટ એક તોલા સોનાનો આજનો ભાવ 62,065 રૂપિયા રહ્યો છે.


અમદાવાદમાં 250 કિલો સોનુ વેચાયાનો અંદાજ


રાજ્યના ચાર મોટા શહેર અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં આજે સોનાની ધુમ ખરીદી કરી છે. સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 62,200 હોવા છતાં લોકો સોનું ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. એકલા અમદાવાદમાં જ આખા દિવસ દરમિયાન 250 કિલો સોનુ વેચાયું હોવાનું અનુમાન છે. અખાત્રીજના પાવન દિવસે શુકનનું સોનું ખરીદવા માટે રાજ્યના અન્ય નાના શહેરોમાં પણ જ્વેલર્સના શો રૂમમાં લોકોની ભીડ જોવા મળી હતી. ગ્રાહકોને આકર્ષવા માટે જ્વેલર્સે પણ ઘડામણમાં રાહત સહિતની વિવિધ સ્કીમોની જાહેરાત કરી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.