અક્ષય કુમારે ભારતના નકશા પર પગ રાખતા લોકો વિફર્યા, સોશિયલ મીડિયા પર થયો ટ્રોલ


  • Published By :
  • Published Date : 2023-02-06 20:12:27

બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર ઉત્તર અમેરિકાના પ્રવાસે જવાનો છે, પરંતુ અક્ષય કુમારને એક વીડિયો શેર કરવો મોંઘો પડ્યો છે. વીડિયો જોઈને અક્ષય કુમારના ફેન્સ તેને ખુબ જ ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે અને તેને કેનેડા જવા માટે કહી રહ્યા છે. 


વિવાદ શું છે?


આજકાલ અક્ષય કુમારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે દિશા પટની, સોનમ બાજવા અને મૌની રોય સાથે જોવા મળી રહ્યો છે. વીડિયોમાં આ સ્ટાર્સ નકશા પર ચાલતા જોવા મળી રહ્યા છે. વીડિયો જોયા બાદ ચાહકો આરોપ લગાવી રહ્યા છે કે અક્ષય કુમારે ભારતના નકશા પર પગ રાખ્યો છે. હવે લોકો તેને ખુબ જ ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે અને તેને કેનેડા જવા માટે કહી રહ્યા છે.


અક્ષય કુમારે પોતાના સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતા લખ્યું છે કે મનોરંજન 100 ટકા હશે. શુદ્ધ દેશી મનોરંજન ઉત્તર અમેરિકામાં. તમારો સીટ બેલ્ટ બાંધો, અમે માર્ચમાં આવીશું. 


અક્ષય કુમાર પર લોકો વિફર્યા 


વીડિયો વાયરલ થયા બાદ લોકો તેને માફી માંગવા અને દેશનું સન્માન કરવા પણ કહી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે આ કૃત્ય માટે તમારે કરોડો દેશવાસીઓની માફી માંગવી જોઈએ. સાથે જ એક યુઝરે લખ્યું છે કે ભારતનું થોડું તો સન્માન કરો. લોકો તેને કેનેડિયન કુમાર કહીને ટ્રોલ પણ કરી રહ્યા છે.


અક્ષય કુમારને તેની નાગરિકતા માટે ઘણી વખત ટ્રોલ કરવામાં આવ્યો છે કારણ કે તેની પાસે ભારતનો નહીં પણ કેનેડિયન પાસપોર્ટ છે. જોકે અભિનેતા પોતાને દિલથી ભારતીય કહે છે, પરંતુ યુઝર્સ તેને ટ્રોલ કરવાની કોઈ તક છોડવા માંગતા નથી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે