સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ અક્ષય કુમારની આગામી ફિલ્મ OMG-2, અભિનેતાએ શેર કર્યું નવું પોસ્ટર, ટીઝરને લઈ કહી આ વાત


  • Published By :
  • Published Date : 2023-07-03 16:56:31

થોડા સમય પહેલા અક્ષય કુમારે ઓએમજી ફિલ્મના સિક્વલ અંગેની જાહેરાત કરી હતી. વર્ષ 2012માં અક્ષય કુમાર અને પરેશ રાવલની સુપરહિટ ફિલ્મ OMG એટલે કે ઓ માય ગોડ આવી હતી. તે વખતે ફિલ્મને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો હતો. ત્યારે પહેલી ફિલ્મના આટલા વર્ષો બાદ OMG ફિલ્મની સિક્વલ અંગેની જાહેરાત થોડા સમય પહેલા અક્ષય કુમારે કરી હતી. ઓએમજી ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન કૃષ્ણના અવતારમાં દેખાયા હતા ત્યારે આ ફિલ્મમાં તે મહાદેવના રૂપમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આજે ફિલ્મનું બીજુ પોસ્ટર રિલીઝ થયું છે.

ભગવાન શંકરનો રોલ નિભાવશે અક્ષય કુમાર

બોલિવુડ એક્ટર અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મ ઓએમજી-2નું બીજુ પોસ્ટર રિલીઝ કર્યું છે. રિલીઝ કરવામાં આવેલા પોસ્ટરમાં અક્ષય કુમાર ભગવાન શંકરના રૂપમાં દેખાઈ રહ્યા છે. પોસ્ટરમાં ફિલ્મની રિલીઝ ડેટ પણ લખવામાં આવી છે. 11 ઓગસ્ટના રોજ ફિલ્મ સિનેમાઘરોમાં બહાર પડવાની છે. ટીઝર પણ ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. પોસ્ટર શેર કરતા અભિનેતાએ લખ્યું કે "બસ થોડા જ દિવસોમાં. ઓહ માય ગોડ 11મી ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહ્યું છે. ટીઝર પણ જલ્દી રિલીઝ થશે'.     

11 ઓગસ્ટના રોજ ફિલ્મ થવાની છે રિલીઝ 

આની પહેલા પણ એક પોસ્ટર શેર કરી સિક્વલ વિશે જાણકારી આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કરતા તેમણે લખ્યું હતું કે અમે આવી રહ્યા છીએ, તમે પણ આવજો, 11 ઓગસ્ટના રોજ ફિલ્મ રિલીઝ થશે. આ ફિલ્મમાં યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી જોવા મળવાના છે. આની પહેલા જે ઓએમજી હતી તેમાં પરેશ રાવલ અને અક્ષય કુમારની જોડીએ લોકોનું દિલ જીતી લીધું હતું. ત્યારે આજે બીજું એક પોસ્ટર રિલીઝ કરવામાં આવતા સોશિયલ મીડિયા પર ઓએમજી-2 ટ્રેન્ડમાં જોવા મળ્યું હતું.      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે