આવી રહી છે અક્ષય કુમારની ફિલ્મ! આ તારીખે રિલીઝ થશે OMG2! સોશિયલ મીડિયા પર અક્ષય કુમારે આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-06-09 13:21:07

સોશિયલ મીડિયા પર અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મને લઈ જાહેરાત કરી છે. વર્ષ 2012માં અક્ષય કુમાર અને પરેશ રાવલની સુપરહિટ ફિલ્મ OMG એટલે કે ઓ માય ગોડ આવી હતી. ફિલ્મને સારો રિસ્પોન્સ તેમજ દર્શકોનો પ્રેમ મળ્યો હતો. ત્યારે પહેલી ફિલ્મના આટલા વર્ષો બાદ OMG ફિલ્મની સિક્વલ આવી રહી છે. પહેલા ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન કૃષ્ણના અવતારમાં દેખાયા હતા ત્યારે આ ફિલ્મમાં તે મહાદેવના રૂપમાં જોવા મળી શકે છે તેવું તેમના પોસ્ટ ઉપરથી લાગી રહ્યું છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે યામી ગૌતમ તેમજ પંકજ ત્રિપાઠી જોવા મળશે. 

11 ઓગસ્ટના રોજ ફિલ્મ થશે રિલીઝ!

OMG ફિલ્મ વર્ષ 2012માં આવી હતી. તે ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. પરેશ રાવલ અને અક્ષય કુમારની જોડીને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો હતો ત્યારે 11 વર્ષ બાદ ફિલ્મની સિક્વલ આવી રહી છે. શુક્રવારે અક્ષય કુમારે પોતાના સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે તેમાં જણાવામાં આવ્યું છે ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રિલીઝ થશે. 


ભગવાન શંકરના અવતારે જોવા મળશે અક્ષય કુમાર!

સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા તેમણે લખ્યું કે અમે આવી રહ્યા છીએ, તમે પણ આવજો 11 ઓગસ્ટે. સાથે જ  એક્ટરે ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું છે. જેમાં અક્ષય કુમાર ભગવાન શંકરના અવતારમાં જોવા મળશે. અક્ષય કુમાર સિવાય ફિલ્મ અંગેની માહિતી યામી ગૌતમે પણ શેર કરી છે. યામી ગૌતમે લખ્યું કે તારીખ લોક છે. OMG2 11 ઓગસ્ટ 2023એ થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. ત્યાં મળીએ! આ પોસ્ટને જોતા દર્શકોમાં ઉત્સુક્તા વધી છે. ઓહ માય ગોડ 2 માં અક્ષય કુમાર, યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે