આ ફિલ્મની આવી રહી છે સીક્વલ, અનેક ફ્લોપ ફિલ્મો બાદ આ ફિલ્મ પર અક્ષય કુમાર રાખી રહ્યા આશા, જાણો ક્યારે અને કઈ ફિલ્મ થઈ રહી છે રિલીઝ


  • Published By :
  • Published Date : 2023-06-30 17:55:19

પહેલા એક સમય એવો હતો કે અક્ષય કુમારની ફિલ્મ એકદમ સુપર ડુપર હીટ હોતી હતી. એ ફિલ્મ ભલે એન્ટરટેન્મેન્ટની હોય, એક્શનની હોય કે પછી કોપની ભૂમિકા હોય. તે હંમેશા પોતાની એક્ટિંગથી દર્શકોનું દીલ જીતી લે છે. છેલ્લા ઘણા સમયથી અક્ષકુમારની ફિલ્મ એક બાદ એક ફ્લોપ જઈ રહી છે. એ પછી ફિલ્મ સેલ્ફી હોય કે પછી રામ સેતુ હોય. રક્ષાબંધન હોય કે સમ્રાટ પૃથ્વીરાજ હોય.અક્ષય કુમારની ફિલ્મ સતત ફ્લોપ જઈ રહી છે. આ બધા વચ્ચે અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મ અંગે જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર હાઉસફૂલ 5ની જાહેરાત કરી છે.   

અક્ષય કુમારની અનેક ફિલ્મો જઈ રહી છે ફ્લોપ  

અક્ષય કુમારને બોલિવુડના ખીલાડી કુમાર તરીકે ઓળખવામાં આવે છે, એક સમય એવો હતો જ્યારે તેમની ફિલ્મ સારી કમાણી કરી લેતી હતી. પરંતુ હવે જાણે સમય બદલાઈ ગયો છે. તેમની ફિલ્મ સારી કમાણી નથી કરી શકતી. અનેક ફિલ્મો ફ્લોપ ગઈ છે. ત્યારે અભિનેતાએ વધુ એક ફિલ્મની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર હાઉસફૂલ 5 અંગેની અનાઉસ્મેન્ટ કરી છે. ફિલ્મની જાહેરાત કરવાની સાથે તેમણે ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે અંગેની માહિતી પણ આપી હતી. 


સોશિયલ મીડિયા પર એક્ટરે આપી જાણકારી 

હાઉસફૂલની પહેલા પણ અનેક સિક્વલ આવેલી છે જેને દર્શકોનો પ્રેમ મળ્યો હતો. બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. ત્યારે આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે રિતેશ દેશમુખ પણ જોવા મળવાના છે. આ ફિલ્મમાં બીજા કયા કલાકારો છે તે અંગેની જાણકારી આપવામાં નથી આવી પરંતુ ટૂંક સમયમાં આ અંગેની જાણકારી આપવામાં આવશે. સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી કેપ્શન આપ્યું કે '5 ગણી વધુ ક્રેઝીનેસ માટે તૈયાર રહો. તમારી સમક્ષ પ્રસ્તુત છે સાજીદ નડિયાદવાલાની હાઉસફુલ. તેના નિર્દેશક તરુણ મનસુખાની છે. દિવાળી 2024માં થિયેટરોમાં મળીશું. અક્ષયે રિતેશ દેશમુખ, નડિયાદવાલા ગ્રાન્ડસન પ્રોડક્શન કંપનીને ટેગ કર્યા છે. હવે જોવું રહ્યું કે આ ફિલ્મ કોઈ જાદુ કરી શકે છે કે નહીં? 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે