રશિયા સાચું દોસ્ત, PoK અને અક્સાઈ ચીનને નકશામાં ભારતનો ભાગ ગણાવ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 17:02:22

રશિયાએ પણ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને અરુણાચલ પ્રદેશને ભારતના અભિન્ન અંગ તરીકે માન્યતા આપી છે. રશિયન સરકાર દ્વારા જારી કરાયેલ SCO સભ્ય દેશોના નકશાએ આ બાબત સાબિત કરી છે. રશિયાની સરકારની સત્તાવાર એજન્સી સ્પુટનિકના જણાવ્યા અનુસાર, જારી કરાયેલા નકશામાં પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર (PoK) અને અક્સાઈ ચીન તેમજ સમગ્ર અરુણાચલ પ્રદેશને ભારતના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું છે. પાકિસ્તાન અને ચીન SCO સભ્ય દેશો હોવા છતાં મોસ્કોએ આ પગલું ભર્યું છે. રશિયાએ આ નકશો જાહેર કરીને આ બન્ને દેશોની બોલતી બંધ કરી દીધી છે.


રશિયાએ SCO સભ્ય દેશોના નકશામાં શું દર્શાવ્યું છે?


રશિયન સરકારે શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના સભ્ય દેશોનો નકશો જારી કર્યો છે. રશિયન ન્યૂઝ એજન્સી સ્પુતનિક દ્વારા જારી કરવામાં આવેલા એક નકશામાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અને અક્સાઈ ચીનની સાથે અરુણાચલ પ્રદેશને ભારતનો હિસ્સો ગણાવવામાં આવ્યો છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને પણ ભારતનો અભિન્ન અંગ દર્શાવવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે પાકિસ્તાન અને ચીન પણ આજ SCO સંગઠનના સભ્ય છે. રશિયાએ તેમની દરકાર કર્યાં વિના આ નકશો જારી કર્યો છે. .


રશિયાનું આ પગલું શા માટે મહત્વનું છે?


શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના સભ્ય દેશોમાં ચીન અને પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. ચીન ભારતના લદ્દાખ અને અરુણાચલ પ્રદેશને જ્યારે પાકિસ્તાન ભારત શાસિત જમ્મુ-કાશ્મીરને પોતાનો ભાગ માને છે. હવે આ પરિસ્થિતીમાં રશિયાનું આ પગલું ખુબ મહત્વનું છે? રશિયા દ્વારા જારી કરવામાં આવેલા આ નકશાથી વૈશ્વિક મંચ તેમજ SCO વચ્ચે ભારતની સ્થિતિ વધારે મજબૂત બની છે.



અત્રે ઉલ્લેખનિય છે કે, સોવિયત સંઘ અને રશિયા 1947થી કાશ્મીર મુદ્દે ભારતને સમર્થન કરે છે. ભારત વિરોધી પ્રસ્તાવોને ફગાવવા માટે UNSCમાં વીટો પાવરનો ઉપયોગ કરે છે.



ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે સાથે જ તેમણે ટેરિફને લઇને ભારતને આડેહાથ લીધું છે . તો આ બાજુ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે હવે કોઈ પણ ફળશ્રુતી વગર પાછું જઈ ચૂક્યું છે. તો હવે જોઈએ ૨જી એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદે છે કે કેમ.

પીએમ મોદી આખરે ૧૨ વર્ષના અંતે RSSના મુખ્યાલય કેશવ કુંજ ખાતે નાગપુર પહોંચ્યા છે. છેલ્લે , જુલાઈ ૨૦૧૩માં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગપુર પહોંચ્યા હતા. ખુબ લાંબા સમયથી નવા બીજેપી અધ્યક્ષની નિમણુંક બાકી છે . તેને લઈને ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ઘણા મહત્વના રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણુંક પણ બાકી છે તેને લઇને પણ ચર્ચા હાથ ધરાઈ શકે છે .

સામાન્ય રીતે વિકસિત અથવા અવિકસિત દેશોના લોકો મેડિકલ ખર્ચના પરિબળને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ માટે ભારતને પસંદ કરે છે. જો કે આ અમદાવાદમાં થયેલા મેડિકલ ટુરિઝમના તાજેતરના ઉદાહરણથી તદ્દન વિપરીત છે. ડૉ. પૉલ જેસન ગ્રેનેટ, પેન્સિલવેનિયાના જાણીતા ટ્રોમા સર્જનને હાર્ટની તકલીફ હતી, જેમાં સર્જરીની જરૂર હતી. વધુ આરામદાયક જીવનશૈલી સાથે પ્રખ્યાત સર્જન હોવાને કારણે, અમેરિકન સર્જન અમેરિકામાં ગમે ત્યાંની કોઈપણ હોસ્પિટલ પસંદ કરી શકે છે, ત્યાં તેમની સારવાર પણ મફત થઈ હોત, તેમ છતાં તેમણે અમદાવાદની પસંદગી કરી.

દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે