મહારાષ્ટ્રના અકોલામાં ફાટી નિકળી કોમી હિંસા, રમખાણોનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-05-14 13:28:55

એક ઈંસ્ટાગ્રામ પોસ્ટને કારણે મહારાષ્ટ્રના અકોલામાં હિંસા ફાટી નિકળી હતી. અકોલા ઓલ્ડ સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બે જૂથ આમને સામને આવી ગયા હતા. આ હિંસક અથડામણમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું જ્યારે 8 લોકો ઘાયલ થઈ ગયા હતા. એક વીડિયોમાં કથિત રીતે બે જૂથ વચ્ચે પથ્થરમારો અને રસ્તા પર હોબાળો કરતા દેખાડ્યા છે. પોલીસે કહ્યું કે, ભીડે અમુક વાહનોને પણ તોડી નાખ્યા છે. હિંસક ઘટના બાદ ટોળાએ ઓલ્ડ સિટી પોલીસ સ્ટેશન બહાર માર્ચ કાઢી હતી. પરિસ્થિતીને કાબૂમાં લેવા માટે પોલીસે બળપ્રયોગ કર્યો હતો.


શહેરમાં કલમ 144 લાગૂ કરાઈ


અકોલામાં ફાટી નિકળેસી હિંસા મામલે એસપી સંદીપ ધુગે ચોખવટ કરી છે કે, હાલમાં સ્થિતી કાબૂમાં છે. તેમણે કહ્યું કે, જિલ્લા કલેક્ટરે આદેશ પર અકોલા શહેરમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. સ્થિતીને કાબૂ કરવા માટે અન્ય જિલ્લામાંથી પણ પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી. હિંસક અથડામણની પાછળનં કારણ હાલમાં જાણવા મળ્યું નથી. પ્રાપ્ત વિગતો અનુસાર, મહારાષ્ટ્ર અકોલામાં શનિવારે સાંજે ઈંસ્ટાગ્રામ પર વિવાદીત પોસ્ટ કરી હતી. જેના કારણે કેટલાય લોકો એકઠા થયા અને પોલીસ સ્ટેશને પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલમાં આ મામલે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.