Akhilesh Yadav નહીં થાય Rahul Gandhiની ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ! બેઠકોને લઈ બંને પાર્ટી વચ્ચે ચર્ચા થઈ પરંતુ...


  • Published By :
  • Published Date : 2024-02-20 10:18:45

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ઉત્તરપ્રદેશ પહોંચી છે. એવું માનવામાં આવતું હતું કે ભારત જોડો ન્યાય યાત્રામાં સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ સામેલ થશે કારણ કે બંને પાર્ટી ઈન્ડિયા ગઠબંધનનો હિસ્સો છે. પરંતુ એવી માહિતી સામે આવી છે કે આ યાત્રામાં સપા નેતા અખિલેશ યાદવ ભાગ નહીં લે. એવી શર્ત મૂકવામાં આવી છે કે પહેલા સીટોની વહેંચણી અંગે ચર્ચા કરીએ, તેને ફાઈનલ કરીએ તે બાદ આગળ વધવાની વાત કરીએ.     

ઉત્તરપ્રદેશ પહોંચી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 

આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટીએ ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે તો બીજી તરફ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રા અનેક રાજ્યોમાં તેમજ અનેક લોકસભા બેઠકમાંથી આ યાત્રા  પસાર થઈ ચૂકી છે અને થવાની છે. ત્યારે હમણાં આ યાત્રા ઉત્તરપ્રદેશમાં છે. એવી સંભાવનાઓ હતી કે ઈન્ડિયા ગઠબંધનને કારણે સપા નેતા અખિલેશ યાદવ યાત્રામાં સામેલ થઈ શકે છે. પરંતુ એવી માહિતી સામે આવી છે કે અખિલેશ યાદવે કહ્યું છે કે પહેલા સીટને લઈ ચર્ચા થાય, સીટની વહેંચણી કરવામાં આવે અને તે બાદ આગળ સાથે વધવાની વાત કરવામાં આવે.

યાત્રામાં સામેલ થવા અંગે અખિલેશ યાદવે કહ્યું કે.... 

અખિલેશ યાદવ દ્વારા યાત્રામાં સામેલ થવા અંગે પ્રતિક્રિયા આપવામા આવી જે મુજબ અખિલેશ યાદવે કહ્યું કે જો કોંગ્રેસ સાથે ગઠબંધન ફાઈનલ નહીં થાય તો તે રાયબરેલીમાં યાત્રામાં સામેલ નહીં થાય. અનેક લોકસભા બેઠકોને લઈ ચર્ચા થઈ પરંતુ બંને પાર્ટી વચ્ચે કોઈ નિષ્કશ ન આવ્યો. કોંગ્રેસ તેમજ સમાજવાદી પાર્ટીના નેતાઓ વચ્ચે સોમવાર રાત સુધી વાતચીત પણ થઈ લોકસભા બેઠકોને લઈ પરંતુ સીટોને લઈ સહમતિ ના બની. 


અનેક રાજકીય પાર્ટીઓએ એકલા હાથે ચૂંટણી લડવાની કરી છે જાહેરાત

સત્તાને લઈ અનેક વખત ઘમાસાણ થતું હોય છે. ઈન્ડિયા ગઠબંધન તો બનાવવામાં આવ્યું પરંતુ જ્યારે સીટોની વહેંચણી અંગેની વાત આવી ત્યારે મોટી મોટી રાજકીય પાર્ટીઓ દ્વારા એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી. ટિકિટ વહેંચણીને લઈ તૃણુમુલ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા પહેલાથી રસ્તો અલગ કરી દીધો હતો. ગઠબંધનથી અલગ નથી થયા પરંતુ ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે