'નેતાજી અમર રહે' ના નારા વચ્ચે અખિલેશ યાદવે આપી મુલાયમસિંહ યાદવને મુખાગ્નિ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 17:31:29

સમાજવાદી પાર્ટીના સંસ્થાપક અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા છે. મેલા ગ્રાઉન્ડ પર તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. અંતિમ સંસ્કાર પહેલા રાષ્ટ્રીય સન્માન આપવામાં આવ્યું હતું. તેમના પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે તેમને મુખાગ્નિ આપી હતી. મુલાયમ સિંહ યાદવના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરવા લાખો લોકો ઉમટ્યા હતા. આખું મેદાન નેતાજી અમર રહે તેવા નારાથી ગુંજી ઉઠ્યો હતો.

 

અનેક દિગ્ગજ નેતાઓ રહ્યા ઉપસ્થિત  

નેતાજીના અંતિમ સંસ્કારમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, અસીમ અરૂણ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, કેસીઆર રાવ, ચંદ્રાબાબૂ નાયડુ સહિતના અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત જયા બચ્ચન, અભિષેક બચ્ચન, અનિલ અંબાણીએ પણ હાજરી આપી હતી. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.