અખિલ ભારત હિંદુ મહાસભાએ ઈદગાહમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવાની કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-12-06 11:23:04

અખિલ ભારત હિંદુ મહાસભાએ શાહિ મસ્જિદ ઈદગાહમાં હનુમાન ચાલીસાનો પાઠ તેમજ બાળ ગોપાલનો અભિષેક કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાતને કારણે પોલીસે સુરક્ષા વધારી દીધી છે. તેમજ એક્સટ્રા ફોર્સ પણ લગાવી દીધી છે. અને મહાસભાના અધિકારીઓની ધરપકડ કરવાની શરૂઆત પણ કરી દીધી છે. અંદાજીત પોલીસે પાંચ પદાધિકારીઓને નજરકેદ કરી દીધા છે.

 

જન્મસ્થળ તેમજ ઈદગાહની આસપાસ વધારાઈ સુરક્ષા 

અખિલ ભારત હિન્દુ મહાસભાએ કૃષ્ણ જન્મસ્થળ અને શાહી ઈજગાહ વિસ્તારમાં 6 ડિસેમ્બરે હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરી હતી. આવી જાહેરાત થયા બાદ મામલો ગંભીર ન બને તે ઈજગાહ પાસે હિન્દુ મુસ્લિમ સંગઠન સાથે જોડાયેલા લોકોની અવર-જવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થા એકદમ વધારી દેવામાં આવી છે. સમગ્ર ક્ષેત્રને ચાર જોન, આઠ સેક્ટરમાં વહેંચી દેવામાં આવ્યું છે ઉપરાંત સીસીટીવીથી ચાંપતી નજર પણ રાખવામાં  આવી રહી છે. 

કૃષ્ણજન્મ સ્થળે આવેલી મસ્જિદમાં 6 ડિસેમ્બરે હનુમાન ચાલીસા વાંચવાનું એલાન, પોલીસ છાવણીમાં ફેરવાયુ મથુરા

મહાસભા જન્મસ્થળ પર પહોંચવાનો કરી રહી છે દાવો 

એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ જાહેરાત થયા બાદ અનેક સાધુ-સંતો તેમજ સનાતન ધર્મને માનવા વાળા મથુરા આવી રહ્યા છે. પોલીસે મહાસભાના અનેક અધિકારીઓને નજર કેદ કરી દીધા છે પરંતુ તેમનું માનવું છે કે મહાસભાના સેંકડો કાર્યકરો કૃષ્ણ જન્મભૂમિ તેમજ ઈદગાહ પર જઈ હનુમાન ચાલીસાનો પાઠ કરશે. જન્મસ્થળ સુધી જતા તમામ રસ્તાઓ મંગળવારથી લઈ બુધવાર સવાર સુધી બંધ કરી દેવામાં આવ્યા માત્ર થોડાક જ વાહનોને જવાની પરવાનગી આપવામાં આવી છે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.