અખિલ ભારત હિંદુ મહાસભાએ ઈદગાહમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવાની કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-12-06 11:23:04

અખિલ ભારત હિંદુ મહાસભાએ શાહિ મસ્જિદ ઈદગાહમાં હનુમાન ચાલીસાનો પાઠ તેમજ બાળ ગોપાલનો અભિષેક કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાતને કારણે પોલીસે સુરક્ષા વધારી દીધી છે. તેમજ એક્સટ્રા ફોર્સ પણ લગાવી દીધી છે. અને મહાસભાના અધિકારીઓની ધરપકડ કરવાની શરૂઆત પણ કરી દીધી છે. અંદાજીત પોલીસે પાંચ પદાધિકારીઓને નજરકેદ કરી દીધા છે.

 

જન્મસ્થળ તેમજ ઈદગાહની આસપાસ વધારાઈ સુરક્ષા 

અખિલ ભારત હિન્દુ મહાસભાએ કૃષ્ણ જન્મસ્થળ અને શાહી ઈજગાહ વિસ્તારમાં 6 ડિસેમ્બરે હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરી હતી. આવી જાહેરાત થયા બાદ મામલો ગંભીર ન બને તે ઈજગાહ પાસે હિન્દુ મુસ્લિમ સંગઠન સાથે જોડાયેલા લોકોની અવર-જવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થા એકદમ વધારી દેવામાં આવી છે. સમગ્ર ક્ષેત્રને ચાર જોન, આઠ સેક્ટરમાં વહેંચી દેવામાં આવ્યું છે ઉપરાંત સીસીટીવીથી ચાંપતી નજર પણ રાખવામાં  આવી રહી છે. 

કૃષ્ણજન્મ સ્થળે આવેલી મસ્જિદમાં 6 ડિસેમ્બરે હનુમાન ચાલીસા વાંચવાનું એલાન, પોલીસ છાવણીમાં ફેરવાયુ મથુરા

મહાસભા જન્મસ્થળ પર પહોંચવાનો કરી રહી છે દાવો 

એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ જાહેરાત થયા બાદ અનેક સાધુ-સંતો તેમજ સનાતન ધર્મને માનવા વાળા મથુરા આવી રહ્યા છે. પોલીસે મહાસભાના અનેક અધિકારીઓને નજર કેદ કરી દીધા છે પરંતુ તેમનું માનવું છે કે મહાસભાના સેંકડો કાર્યકરો કૃષ્ણ જન્મભૂમિ તેમજ ઈદગાહ પર જઈ હનુમાન ચાલીસાનો પાઠ કરશે. જન્મસ્થળ સુધી જતા તમામ રસ્તાઓ મંગળવારથી લઈ બુધવાર સવાર સુધી બંધ કરી દેવામાં આવ્યા માત્ર થોડાક જ વાહનોને જવાની પરવાનગી આપવામાં આવી છે.  




આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.