આકાશવાણીએ બજેટને લઈ એવી પ્રતિક્રિયા આપી કે તે થઈ ગઈ વાયરલ, કર્મચારીથી ગલતીથી મિસ્ટેક થઈ ગઈ!!


  • Published By :
  • Published Date : 2023-02-02 10:21:19

બુધવારના રોજ નરેન્દ્ર મોદીની 2.0 સરકારે પોતાનું અંતિમ પૂર્ણ બજેટ રજૂ કર્યું હતું. અનેક ઓપીનિયન પોલ પર લોકોએ બજેટને લઈ પ્રતિક્રિયા આપી હતી. પરંતુ સૌથી વધુ ધ્યાન આકાશવાણી આપવામાં આવેલી પ્રતિક્રિયા પર ગયું. બીબીસી દ્વારા પૂછવામાં આવ્યું હતું કે બજેટને કેટલા માર્ક આપશો તેના જવાબમાં આકાશવાણીના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર જવાબ આપવામાં આવ્યો જેમાં લખ્યું હતું ઝીરો. આ ટ્વિટ વાયરલ થઈ રહી છે. તે સિવાય બીજા કમેન્ટમાં આ બજેટને ચૂંટણીલક્ષી બજેટ ગણાવ્યું હતું.  


આકાશવાણીએ બજેટ પર આપી આવી પ્રતિક્રિયા!

ગઈ કાલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું. કોઈ લોકોએ આ બજેટને આવકાર્યો હતો તો કોઈએ બજેટને લઈ ટિકા કરી હતી. બજેટ પેશ થયા બાદ અનેક લોકોએ બજેટને લઈ ઓપીનિયન પોલ મૂક્યો હતો. અનેક ન્યુઝ એજન્સીએ લોકોના અભિપ્રાય માટે પોલ રાખ્યો હતો. ત્યારે બીબીસીએ અંતિમ પૂર્ણ બજેટને લઈ પોતાના યુઝર્સ પાસેથી રાય માગી હતી. આ સવાલ પર અનેક લોકોએ રિએક્શન આપ્યા હતા પરંતુ સૌથી મોટુ આકર્ષણનું કેન્દ્ર બન્યું પ્રસાર ભારતી વાળી આકાશવાણી દ્વારા આપવામાં આવેલું રિએક્શન.  


રિએક્શન વાળી ટ્વિટ થઈ રહી છે વાયરલ 

બીબીસી દ્વારા પૂછવામાં આવ્યું હતું કે બજેટને કેટલા માર્ક આપશો તેના જવાબમાં આકાશવાણીના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર જવાબ આપવામાં આવ્યો જેમાં લખ્યું હતું ઝીરો. આ ટ્વિટ વાયરલ થઈ રહી છે. તે સિવાય બીજા કમેન્ટમાં આ બજેટને ચૂંટણીલક્ષી બજેટ ગણાવામાં આવ્યું હતું. આકાશવાણી, પ્રસાર ભારતી સૂચના એવું પ્રસારણ મંત્રાલય અંતર્ગત કામ કરે છે. ત્યારે સરકારી વિભાગ દ્વારા આ પ્રકારનું રિએક્શન આવતા આ ટ્વિટને ખુબ વાયરલ થઈ રહી છે. આ પ્રતિક્રિયા પર અનેક લોકોએ ટ્વિટ કરી હતી. આટલી મોટી ઘટના કઈ રીતે સર્જાઈ તે અંગે કોઈ જાણકારી નથી મળી રહી પરંતુ એવું લાગી રહ્યું છે કે આકાશવાણીમાં કામ કરતા એક કર્મચારીએ ભૂલથી આ ટ્વિટ કરી દીધી હોવી જોઈએ.         





21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.