ધ કેરાલા સ્ટોરી બાદ હવે 'અજમેર-92'ની રિલીઝ પર વિવાદ, આ મુસ્લીમ સંગઠને ફિલ્મ પર પ્રતિબંધની કરી માગ


  • Published By :
  • Published Date : 2023-06-05 17:10:56

ધ કેરાલા સ્ટોરી બાદ વધુ એક ફિલ્મ 'અજમેર-92' રિલીઝ પહેલા જ વિવાદમાં આવી ગઈ છે. કથિત રીતે કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ લઘુમતીઓને ટારગેટ કરે છે, અને 30 વર્ષ અગાઉ અજમેરમાં તરૂણીઓ પર થયેલા ગુનાહિત હુમલા પર આધારીત છે. જ્યારે કન્ટેન્ટને લઈ જમીયત ઉલેમા એ હિંદે ફિલ્મ 'અજમેર-92' સામે મોરચો ખોલી દીધો છે. આ મુસ્લીમ સંગઠને ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માગ કરી છે.  


જમીયત ઉલેમા એ હિંદે કર્યો વિરોધ


જમીયતના પ્રમુખ મૌલાના મદનીએ કહ્યું કે અજમેર શરીફની દરગાહને બદનામ કરવા માટે બનેલી ફિલ્મ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવી દેવામાં આવે. ગુનાઈત ઘટનાઓને ધર્મ સાથે જોડવાના બદલે ગુનાઓની સામે એકજુથ થઈને કાર્યવાહી કરવાની જરૂર છે. આ ફિલ્મ સમાજમાં દરાર પેદા કરશે.


અભિવ્યક્તિની આઝાદી સામે વાંધો

 

મૌલાના મદની વધુમાં કહ્યું કે અજમેર શહેરમાં જે પ્રકારે ગુનાહિત ઘટનો સામે આવી રહી છે તે સમગ્ર સમાજ માટે શરમજનક બાબત છે. તેમણે કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા એક વરદાનની સાથે-સાથે કોઈ પણ લોકતંત્રની તાકાત પણ છે. પરંતું તેની આડમાં દેશને તોડનારા વિચારો અને ધારણાને પ્રોત્સાહન ન આપી શકાય. અજમેરની ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તીની દરગાહ હિંદુ-મુસ્લીમ એકતાનું જીવંત ઉદાહરણ  છે અને લાખો લોકોની આસ્થાનું પ્રતિક છે.   


ફિલ્મની કથાવસ્તુ શું છે?


અજમેર 92 ફિલ્મનું ડાયરેક્શન પુષ્પેન્દ્ર સિંહે કર્યું છે, આ ફિલ્મમાં ઝરીના વહાબ, સયાજી શિંદે, મનોજ જોશી અને રાજેશ શર્માએ મુખ્ય કિરદાર નિભાવ્યો છે. આ ફિલ્મ વાસ્તવિક ઘટના પર આધારીત છે, વર્ષો પહેલા અજમેરમાં 100થી વધુ યુવતીઓને બ્લેકમેઈલ કરવા અને ત્યાર બાદ તેમનું શારિરીક શોષણ કરવાની ઘટનાને ફિલ્મમાં નિરૂપવામાં આવી છે. ફિલ્મના કન્ટેન્ટને લઈને વિવાદ વધી રહ્યો છે.  



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.