BJPમાં જોડાવા મુદ્દે અજીત પવારે કર્યો ખુલસો, 'હું NCPમાં જ છું અને NCPમાં જ રહીશ'


  • Published By :
  • Published Date : 2023-04-18 16:51:35

મહારાષ્ટ્રમાં ફરી મોટી રાજકીય ઉથલપાથલના ભણકારા વાગી રહ્યા છે. શરદ પવારની પાર્ટી NCPના નેતા અજીત પવાર પાર્ટી સાથેનો છેડો ફાડી નાખે તેવી આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. જો કે આજે અજીત પવારે આ મુદ્દે ખુલાસો કરતા કહ્યું કે તે એનસીપીમાં જ છે અને NCP સાથે જ જોડાયેલા રહેશે. NCP જે નક્કી કરશે હું ત્યાં જ રહીશ.


હું શરદ પવારનો વફાદાર


અજીત પવારે કહ્યું કે "આજે મને ધારાસભ્યો મળવા આવ્યા હતા. તેઓ રૂટીન કામ માટે આવ્યા હતા. તેનો કોઈ અલગ મતલબ કાઢશો નહીં. હું શરદ પવાર પ્રત્યો વફાદાર છું અને તે જે કહેશે તે જ હું કરીશ. જે મેસેજ અને અફવાહો ફેલાવવામાં આવે છે તે અમારા વિરૂધ્ધ ષડયંત્ર છે".


મોદીની પ્રસંશા કરી ફસાયા અજીત પવાર


અજીત પવારે પીએમ મોદીની પ્રશંસા કરી હતી, તેટલું જ નહીં તેમણે ઈવીએમ પર પણ ભરોસો વ્યક્ત કર્યો હતો. ત્યાર બાદ મહારાષ્ટ્ર સરકારના મંત્રી સુધીર મુનગંટીવારે તેમને એનડીએમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું. ત્યારથી તે ભાજપમાં જોડાશે તેવી અટકળોને વેગ મળ્યો છે. તે ઉપરાંત તેમણે શરદ પવાર અને સાંસદ સુપ્રિયા સુળેની પૂણેમાં યોજાયેલી રેલીમાં પણ સામેલ થયા નહોંતા. આ તમામ ઘટનાઓ બાદ તેમની બિજેપીમાં જોડાવાની વાત પાક્કી માનવામાં આવી રહી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.