બ્રિટનમાં એર ટ્રાફિક કન્ટ્રોલ ઠપ, ફ્લાઈટ સર્વિસ ખોરવાઈ, અનેક ફ્લાઈટ કેન્સલ


  • Published By :
  • Published Date : 2023-08-28 19:14:37

બ્રિટનમાં એર ટ્રાફિક કન્ટ્રોલમાં આવેલી ટેકનીકલ સમસ્યાના કારણે અનેક ફ્લાઈટ સર્વિસ ખોરવાઈ છે, આ અંગે ચેતવણી જાહેર કરવામાં આવી છે. બ્રિટનની રાજધાની લંડનમાં સોમવારે ટેક્નિકલ સમસ્યા સર્જાયા બાદ ફ્લાઈટ સેવામાં વિક્ષેપ સર્જાયો છે અને લંડનના એરપોર્ટ પર ફ્લાઈટ સેવા બંધ કરી દેવામાં આવી છે. બ્રિટનની એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમે (Air Traffic Controllers) જાણ કરી હતી કે ટેક્નિકલ સમસ્યાના કારણે ફ્લાઈટ્સ મોડી પડી છે. 


અસુવિધા માટે યાત્રીકોની માફી માગી


મીડિયા રિપોર્ટ મુજબ બ્રિટનની નેશનલ એર ટ્રાફિક સર્વિસ (NATS)ના જણાવ્યા મુજબ "તે ટેકનીકલ ખામીનો સામનો કરી રહી છે. આ કારણે ઉડાનોમાં વિલંબ થઈ શકે છે." એન્જિનિયરિંગ ખામીને શોધવા માટે અને તેને સુધારવા માટે કામ ચાલી રહ્યું છે. આ સાથે જ યાત્રિકોની માફી માગતા કહેવામાં આવ્યું છે કે પેસેન્જરોને થનારી અસુવિધા માટે માફી માગીએ છીએ.  


એરપોર્ટ પર ટ્રાફિક ફ્લો રિસ્ટ્રીક્શન


બ્રિટનની નેશનલ એર ટ્રાફિક સર્વિસીસ (NATS)એ કહ્યું કે અમે વર્તમાનમાં ટેકનિકલ ખામીનો સામનો કરી રહ્યા છિએ, અને સુરક્ષા જાળવી રાખવા માટે ટ્રાફિક ફ્લો રિસ્ટ્રીક્શન લાગુ કરવામાં આવ્યું છે. આયરલેન્ડની એરલાઈન્સે પણ તેની ફ્લાઈટને ડિલે કે કેન્સલ કરી દીધી છે. તેનો મતલબ એ થયો કે આયરલેન્ડનું એર ટ્રાફિક નેટવર્ક પણ પ્રભાવિત થયો છે. અનેક પેસેન્જરો સોશિયલ મીડિયા પર આ અંગે તેમની હૈયાવરાળ ઠાલવી છે.  



ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .

ઈલોન મસ્કને પોલેન્ડના વિદેશ મંત્રી સાથે થયો ઉગ્ર વિવાદ . આ ઉગ્ર વિવાદ અમેરિકા અને યુરોપ વચ્ચે શું બતાવી રહ્યો છે?