અમદાવાદમાં પણ વાયુ પ્રદુષણ વધ્યું, આ ચાર વિસ્તારોમાં AQI 300 પૉઇન્ટને પાર પહોંચ્યો


  • Published By :
  • Published Date : 2023-11-11 11:48:08

ગુજરાતમાં પણ વાયુ પ્રદુષણ વધી રહ્યું છે, રાજ્યના અમદાવાદ શહેરની હાલત પણ દિલ્હી જેવી થઈ રહી છે. અમદાવાદમાં પણ દિવાળી ટાણે વાયુ પ્રદુષણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. અમદાવાદ શહેરના ચાર વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સમાં વધારો થયો છે અને હવા સ્થાનિકો માટે હાનિકારક બની રહી છે.


શહેરના આ 4 વિસ્તારોમાં ભારે પ્રદુષણ

 

દિવાળી ટાણે અમદાવાદ શહેરમાં ચાર વિસ્તારોમાં ભારે પ્રદુષણ થઇ રહ્યું છે. અમદાવાદમાં ચાર વિસ્તારો એવા છે જેમાં બે વિસ્તારોનો એર ક્વૉલિટી ઇન્ડેક્સ 300ને પાર થઇ ગયો છે, તો વળી અન્યે બીજા બે વિસ્તારોનો ઇન્ડેક્સ 200 ને પાર પહોંચ્યો છે. તાજા આંકડા પ્રમાણે, શહેરમાં શહેરના રખિયાલ વિસ્તારમાં એર ક્વૉલિટી ઇન્ડેક્સ 305એ પહોંચ્યો છે, લેખવાડામા એર ક્વૉલિટી ઇન્ડેક્સ 307એ પહોંચ્યો છે. પિરાણા ડમ્પિંગ સાઈટ વિસ્તારનો એર ક્વૉલિટી ઇન્ડેક્સ 203 એ પહોંચ્યા છે, અને નવરંગપુરામાં એર ક્વૉલિટી ઇન્ડેક્સ 244 પૉઇન્ટ પહોંચ્યા છે. આમ શહેરના આ ચાર વિસ્તારોમાં હવા સૌથી વધુ પ્રદુષિત બની છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.