એર ઈન્ડિયાની ફ્લાઈટનું રાજસ્થાનના ઉદયપુરમાં ઈમરજન્સી કરાયું લેન્ડિંગ, કારણ જાણીને તમે પણ ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-07-17 21:13:37

રાજસ્થાનના ઉદયપુરમાં એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ યાત્રીના મોબાઈલ ફોનની બેટરીમાં બ્લાસ્ટ થવાના કારણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. આ ફ્લાઈટ ફ્લાઈટમાં લગભગ 140 મુસાફરો હતા, ફ્લાઈટ ઉદયપુરથી દિલ્હી જઈ રહી હતી  અને હવામાં હતી ત્યારે બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટ થતાં જ મુસાફરો ગભરાઈ ગયા, તરત જ ક્રૂ મેમ્બરોએ ચાર્જ સંભાળ્યો અને ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઉદયપુરના ડબોક એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન કેટલાક મુસાફરોને પ્લેનમાંથી નીચે ઉતારવામાં આવ્યા ત્યાર બાદ ફ્લાઈટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બધુ યોગ્ય હોવાનું જણાયા બાદ ફ્લાઈટે દિલ્હી તરફ રવાના કરવામાં આવી હતી. 


મોબાઈલ ફોનની બેટરીમાં બ્લાસ્ટથી ફફડાટ


આ ઘટના એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર-470 માં બની હતી. સોમવારે આ ફ્લાઇટ બપોરે 3 વાગ્યે ઉદયપુરથી દિલ્હી માટે ટેકઓફ થઈ હતી. ટેકઓફ કર્યાના થોડા સમય બાદ મોબાઈલ ફોનની બેટરી ફાટી ગઈ હતી. મળતી માહિતી મુજબ એક મુસાફરના મોબાઈલ ફોનની બેટરીમાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એરપોર્ટ પર ફ્લાઈટની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી અને એર ઈન્ડિયાના એન્જિનિયરોની ટીમે ફ્લાઈટની સંપૂર્ણ ટેકનિકલ તપાસ પણ કરી હતી. અત્યાર સુધીના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે ફ્લાઇટની અંદર કોઈ પેસેન્જરના મોબાઈલ ફોનની બેટરી ફાટવાના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હોય. બેટરીના વિસ્ફોટને કારણે ફ્લાઈટની અંદર આગ પણ લાગવાની સંભાવના હતી જોકે સદનસિબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નહોતી.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!