મસ્કતમાં એર ઈન્ડિયાના વિમાનના એન્જિનમાં આગ, તમામ મુસાફરો સુરક્ષિત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 17:02:40

એર ઈન્ડીયાની ફ્લાઈટ સાથે ઓમાનની રાજધાની મસ્કતમાં એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ. મસ્કત એરપોર્ટ પરથી કેરળના કોચી તરફ આવી રહેલી એર ઈન્ડીયાના વિમાનના એન્જિનમાં આગ લાગી હતી જેને કારણે ફ્લાઈટમાં ધૂમાડો ફેલાયો હતો. ફ્લાઈટમાં 145 લોકો મુસાફરી કરી રહ્યા હતા જેમાં 4 નવજાતનો પણ સમાવેશ થતો હતો. તમામ પ્રવાસીઓ સલામત છે અને કોઈ પણ પ્રકારની નુકશાનીની સમાચાર નથી. 


ફ્લાઈટમાંથી 145 પ્રવાસીઓને બહાર કઢાયા 


આગ લાગી ત્યારે ફ્લાઈટમાં 145 પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા હતા. આ પ્રવાસીઓ કોચી આવી રહ્યાં હતા. 145 પ્રવાસીઓમાં 4 નવજાત પણ હતા. ધુમાડો નીકળ્યા બાદ સ્લાઇડ પર એર ઇન્ડિયા એક્સપ્રેસના પ્લેનમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. બાદમાં મુસાફરોને ટર્મિનલની બિલ્ડિંગમાં શિફ્ટ કરી દેવાયા હતા. 


વિમાનમાં આગનું કારણ શું?


ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે વિમાનનાં બે નંબરના એન્જીનમાં આગના લાગી હતી. વિમાન ટેક ઓફ કરવા માટે એરપોર્ટના રન-વે પર જઈ રહ્યું હતું ત્યારે જ આગ લાગી હતી. ડિજીસીએ તાત્કાલિક પગલા લઈ 145 ભારતીય પ્રવાસીઓ માટે બીજી ફ્લાઈટની વ્યવસ્થા કરી હતી. 




નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.