એર ઈંડિયા એક્સપ્રેસ ફ્લાઈટના એન્જીનમાં લાગી આગ, અબૂધાબી ખાતે કરાયું ઈમરજન્સી લેન્ડિંગ


  • Published By :
  • Published Date : 2023-02-03 12:33:06

અબુધાબીથી કલીકટ જઈ રહેલી ઈંડિયા એક્સપ્રેસની ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ફ્લાઈટ ઉડાન ભરી રહી હતી તે દરમિયાન એન્જિનમાં આગ લાગી હતી જેને કારણે ફ્લાઈટનું અબુધાબીમાં લેન્ડિંગ કરાવાયું હતું. આ વિમાનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો સુરક્ષિત છે. એર ઈંડિયા એક્સપ્રેસે આ અંગે નિવેદન આપ્યું છે.

 


અબૂધાબી ખાતે કરાયું પ્લેનનું લેન્ડિંગ

એર ઈંડિયા એક્સપ્રેસની ફ્લાઈટ જે અબુ ધાબીથી કલીકટ જઈ રહી ફ્લાઈટના એન્જિનમાં એકાએક આગ લાગી હતી. ટેક ઓફ દરમિયાન આ ઘટના બની હતી જેને કારણે પ્લેનને ફરી લેન્ડ કરી દેવાયું હતું. ફ્લાઈટ નં. IX348નું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ અંગે ભારતની નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પણ નિવેદન જાહેર કર્યું હતું.


ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત

આ અંગે એર ઈંડિયા એક્સપ્રેસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જેમાં જણાવાયું હતું કે અબૂ ધાબીથી કાલીકટ જઈ રહેલી એર ઈંડિયા એક્સપ્રેસની ફ્લાઈટના એક એન્જીનમાં આગ લાગી હતી જે બાદ ફ્લાઈટનું સેફ લેન્ડિંગ અબૂ ધાબી ખાતે કરવામાં આવ્યું હતું. આ ફ્લાઈટમાં 184 મુસાફરો સવાર હતા જે તમામે તમામ સુરક્ષિત છે.      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે