લ્યો બોલો! કર્ણાટકના ગવર્નરને લીધા વગર જ એરએશિયાનું વિમાન ઉડી જતા થયો હોબાળો


  • Published By :
  • Published Date : 2023-07-28 19:48:21

કોઈ એરલાઈન્સ કંપની કોઈ રાજ્યના ગવર્નરને ફ્લાઈટમાં યાત્રા કરવાનો ઈન્કાર કરી શકે? હા આવી ઘટના બની છે, એર એશિયાના કર્મચારીઓએ કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગહલોતને વિમાનમાં પ્રવેશ કરતા અટકાવતા હોબાળો મચી ગયો છે. કર્ણાટક રાજ ભવને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ અને એરએશિયાને પત્ર લખીને તેને રાજ્યપાલના પ્રોટોકોલના ઉલ્લંઘનનો મામલો ગણાવ્યો છે. આ મુજબ, ગુરુવારે રાજ્યપાલ ગેહલોત બેંગ્લોરથી હૈદરાબાદની ફ્લાઈટમાં ચઢવા માટે ટેકઓફના 15 મિનિટ પહેલા એરપોર્ટ પર પહોંચી ગયા હતા, તેમ છતાં તેમને પ્લેનમાં બેસવાની મંજૂરી આપવામાં આવી ન હતી.


સમગ્ર ઘટના શું છે?


સરકારી સૂત્રોનું કહેવું છે કે આ એરલાઈન્સના કારણે ગવર્નર માટે ખૂબ જ શરમજનક સ્થિતિ ઊભી થઈ છે. થાવરચંદ ગેહલોત બેંગલુરુથી હૈદરાબાદ જતી એર એશિયાની 2.05 દિવસની ફ્લાઈટ I5-972માં સવાર થવાના હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યપાલ સવારે 1.50 વાગ્યે એરપોર્ટના વીઆઈપી લોન્જમાં પહોંચ્યા હતા. થોડો સમય રેસ્ટરૂમમાં રહ્યા બાદ તેમને એરક્રાફ્ટમાં લઈ જવામાં આવ્યા હતા. સમયસર પહોંચવા છતાં એરલાઈન્સ સ્ટાફે પ્લેનનો દરવાજો બંધ હોવાનું કહીને તેમને ચઢવા ન દીધા. ગવર્નર 2:06 વાગ્યે ફ્લાઇટમાં પહોંચ્યા, જ્યારે ફ્લાઇટનો નિર્ધારિત ટેક-ઓફ સમય 2:05 હતો. જોકે, પ્લેનના દરવાજા ખુલ્લા હતા. આમ છતાં, ઘણી વિનંતીઓ પછી પણ તેમને ફ્લાઈટમાં બેસવાની મંજૂરી આપવામાં આવી ન હતી. એટીસી અને ફ્લાઇટ એટેન્ડન્ટએ રાજ્યપાલને વિમાનમાં પ્રવેશવા ન દેતા હોબાળો મચી ગયો હતો.


એર એશિયા ખેદ વ્યક્ત કર્યો


રાજ્યપાલને એક કાર્યક્રમના સંબંધમાં હૈદરાબાદ થઈને રાયચુર જવાનું હતું. લગભગ 90 મિનિટ પછી તેમને હૈદરાબાદ જતી બીજી ફ્લાઈટમાં જગ્યા આપવામાં આવી. એરએશિયાએ આ મામલે તપાસ શરૂ કરી છે. આ ઘટના અંગે ઊંડો ખેદ વ્યક્ત કરતા તેમણે કહ્યું છે કે સંપૂર્ણ તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.



હાલના સમયમાં યુદ્ધ ક્ષેત્રે ડ્રોનનું મહત્વ વધી ગયું છે. યુદ્ધ ક્ષેત્રે ડ્રોનના ઉપયોગની શરૂઆત અમેરિકા દ્વારા કરવામાં આવી . અમેરિકાએ તેનો ઉપયોગ ઇરાક અને અફઘાનિસ્તાનમાં વ્યાપક રીતે કર્યો હતો . પરંતુ હવે આપણે ઓપરેશન સિંદૂર પછી જોયું કે પાકિસ્તાને આપણી પર ડ્રોનથી ઘણા હુમલા કર્યા છે . તો આજે આપણે સમજીશું ડ્રોનનું મહત્વ છે શું અને ભારત પાસે ક્યા ક્યા ડ્રોન્સ છે.

IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.