AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીની સુરતની સભામાં લાગ્યા ‘મોદી-મોદી’ના નારા


  • Published By :
  • Published Date : 2022-11-14 14:57:51

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે. ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. આ વખતે બે નવા પક્ષો AAP અને AIMIM પણ ચૂંટણી મેદાનમાં છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના નેતા અસદુદ્દીન ઓવૈસી પણ તેમની પાર્ટી AIMIMના ઉમેદવાર માટે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેમણે રવિવારે રાત્રે સુરતમાં એક ચૂંટણી સભામાં હાજરી આપી હતી. જો તે તે વખતે તેમના વિરોધમાં કાળા વાવટા અને ‘મોદી-મોદી’ ના નારા લગાવવામાં આવ્યા હતા. 


યુવાનોએ મોદી-મોદીના નારા લગાવ્યા


હૈદરાબાદથી AIMIMના સાંસદ અસદુદ્દીન ઓવૈસી સ્ટેજ પર આવ્યા તે વખતે જ સભામાં હાજર રહેલા કેટલાકકેટલાક યુવાનોએ નરેન્દ્ર મોદીના સમર્થનમાં મોદી-મોદીના નારા લગાવ્યા અને હોબાળો શરૂ કર્યો. ઓવૈસીની મુલાકાતના વિરોધમાં તેઓએ કાળા ઝંડા પણ લહેરાવ્યા હતા. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ યુવાનોમાં કેટલાક મુસ્લિમો પણ હતા. આ યુવાનોમાંથી કેટલાકે કાળા વાવટા પણ ફરકાવ્યા હતા.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.