AIADMKએ BJP સાથે છેડો ફાડ્યો, કાર્યકરોએ ફટાકડા ફોડી જસ્ન મનાવ્યો, શા માટે તુટ્યું ગઠબંધન, જાણો


  • Published By :
  • Published Date : 2023-09-25 20:18:16

તમિલનાડુની અગ્રણી રાજકીય પાર્ટી ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK)એ ભાજપના નેતૃત્વવાળા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સાથે છેડો ફાટવાની જાહેરાત કરી છે.આજે પાર્ટીએ એક પ્રસ્તાવ પસાર કર્યો હતો. અન્નાદ્રુમુક  (AIADMK)ના નેતાઓની બેઠક બાદ પાર્ટીના ડેપ્યુટી કોઓર્ડિનેટર કેપી મુનુસામીએ કહ્યું, "AIADMK આજથી બીજેપી અને NDA સાથેના તમામ સંબંધો તોડી રહી છે." ભાજપ સાથે ગઠબંધન તોડ્યા બાદ AIADMK કાર્યકરોએ ફટાકડા ફોડી જસ્ન મનાવ્યો હતો. ઉલ્લેખનિય છે કે દક્ષિણના રાજ્યોમાં AIADMK ભજપનો સૌથી જુનો સહયોગી પક્ષ હતો.લોકસભા ચૂંટણી પહેલા ભાજપ અને AIADMK ગઠબંધન તુટતા ભાજપને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. 


શા માટે છેડો ફાડ્યો?


ભાજપ સાથે ગઠબંધન તોડવા અંગે AIADMKએ જણાવ્યું કે ભાજપના નેતાઓ છેલ્લા એક વર્ષથી સતત અમારા નેતાઓ, અમારા મહાસચિવ ઈપીએસ( એડાપડ્ડી પલાનીસ્વામી) અને અમારા કાર્યકર્તાઓ પર બિનજરૂરી નિવેદનો આપી રહ્યા હતા, આજની બેઠકમાં ગઠબંધન તોડવાનો એક પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો છે. તે ઉપરાંત AIADMK ડેલિગેશને તાજેતરમાં દિલ્હીની મુલાકાતે આવ્યું હતું. આ પ્રતિનિધિમંડળે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સાથે મુલાકાત કરી હતી. આ સમય દરમિયાન, પાર્ટીએ બીજેપી પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈ દ્વારા આપવામાં આવેલા નિવેદન માટે માફીની માંગ કરી હતી. ખરેખર, સનાતન મઝહબ વિવાદ દરમિયાન બીજેપીના પ્રદેશ પ્રમુખ અન્નામલાઈએ અન્નાદુરાઈ વિશે ટિપ્પણી કરી હતી. જેનાથી AIADMK નેતાઓ નારાજ હતા.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.