AIADMKએ NDA સાથે ગઠબંધન તોડવાની કરી જાહેરાત, એકલા હાથે લડશે ચૂંટણી, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-26 10:43:50

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે.આ સમય દરમિયાન રાજકીય પાર્ટીઓ ગઠબંધન કરી પોતાના સંગઠનને મજબૂત કરતા હોય છે પરંતુ એનડીએને ચૂંટણી પહેલા બહુ મોટો ફટકો પડ્યો છે. વાત આમ તો તમિલનાડુની જ છે પરંતુ આ ફટકો એનડીએને ભારે પડી શકે છે. તમિલનાડુમાં ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ એટલે કે AIADMKએ સોમવારે NDA સાથે કરેલું ગઠબંધન તોડવાની જાહેરાત કરી છે. AIADMK હવેથી એનડીએ ગઠબંધનનો હિસ્સો નથી તેવી જાહેરાત ગઈકાલે કરવામાં આવી હતી. 


ગઠબંધન તોડવાનું આ છે કારણ!

AIADMK હવે NDA એટલે કે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સનો ભાગ નથી. તેની ઔપચારિક જાહેરાત 25 સપ્ટેમ્બરે થઈ હતી. પાર્ટી વતી, એવું કહેવામાં આવ્યું હતું કે રાજ્યમાં ભાજપના નેતાઓ છેલ્લા એક વર્ષથી ભૂતપૂર્વ AIADMK નેતાઓ, પાર્ટીના મહાસચિવ ઈડાપ્પડી કે પલાનીસ્વામી (EPS) અને કાર્યકરો વિશે ટિપ્પણીઓ કરી રહ્યા છે. તમિલનાડુમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈના તાજેતરના નિવેદનોથી AIADMK નારાજ છે અને ગઠબંધન તોડવાની વાત પહેલેથી જ કહેવામાં આવી હતી.


શું કહ્યું AIADMKના પ્રવક્તાએ 

આ અંગેની જાહેરાત કરતા પાર્ટીના ડેપ્યુટી કોઓર્ડિનેટર કેપી મુનુસામીએ કહ્યું હતું કે AIADMK હવેથી ભાજપ અને NDA સાથેના તમામ સંબંધો તોડી રહી છે. ભાજપના લોકો છેલ્લા એક વર્ષથી પાર્ટીના નેતાઓ, ખાસ કરીને મહાસચિવ ઈ. પલાનીસામી વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે. AIADMK પ્રવક્તા શશિરેખાએ કહ્યું- અમે સભ્યોના અભિપ્રાયના આધારે આ પ્રસ્તાવ લાવ્યા છીએ. AIADMK માટે આ આનંદની ક્ષણ છે. આગામી લોકસભા કે વિધાનસભાની ચૂંટણી અમે સ્વબળે લડીશું.


ગઠબંધન બાદ ભાજપે આપી પ્રતિક્રિયા 

ગઠબંધન તૂટ્યા બાદ ભાજપ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે.  બીજેપીના પ્રદેશ અધ્યક્ષ કે અન્નામલાઈને AIADMK સાથે ગઠબંધન તોડવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેઓ આ અંગે પછી નિવેદન આપશે. 



બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..

આજે ચૂંટણી પંચ દ્વારા વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે.. 13 નવેમ્બરે વાવ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે જેનું પરિણામ 23 નવેમ્બરે આવવાનું છે..