અમદાવાદમાં ભૂવાઓની ભરમાર, પહેલા ખાડાથી લોકો પરેશાન હતા તો હવે ભૂવાથી લોકો થયા ત્રસ્ત ,જાણો આજે ક્યાં પડ્યો ભૂવો


  • Published By :
  • Published Date : 2023-07-01 18:31:36

અમદાવાદમાં ભૂવા પડવાની વાત જાણે સામાન્ય થઈ ગઈ હોય તેવું લાગે. અમદાવાદને સ્માર્ટ સિટી તો કહેવાય છે પરંતુ ત્યાંની નરી વાસ્તવિક્તા અલગ જ છે. અમદાવાદને લઈ કરવામાં આવતા દાવોઓ  વારંવાર દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. કારણ કે વરસાદની શરૂઆત થતાં જ  અમદાવાદમાં જાણે ભૂવારાજનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. રસ્તાઓ પર ભૂવા પડવાને કારણે વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે ઉપરાંત લોકોના મનમાં ભય વ્યાપી ઉઠે છે. ત્યારે આજે અમે ભૂવાની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે જુહાપૂરામાં એક ભૂવો પડ્યો છે. 

શ્રી સિદ્ધિ ગ્રુપ અને AMCના સહકારથી તૈયાર થયેલા રેલવે બ્રિજનું અમિત શાહે  કર્યુ લોકાર્પણ

અમિત શાહે જે બ્રિજનું લોકાર્પણ કર્યું ત્યાં પણ ભૂવો પડ્યો  

ભૂવા અને અમદાવાદ જાણે એક બીજાનો પર્યાય બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે જેને કારણે અનેક જગ્યાઓથી ભૂવા પડવાના સમાચાર સામે આવી રહ્યા છે.  એક રિપોર્ટ અનુસાર 22મેથી 30 જૂન દરમિયાન 56 જેટલા ભૂવાઓ પડ્યા હતા. અમાદવાદમાં તો અનેક એવી જગ્યાઓ છે જ્યાં ભૂવા પડ્યા છે. થોડા દિવસ પહેલા જે બ્રિજનું લોકાર્પણ અમિત શાહે કર્યું હતું તે બ્રિજ આગળ જ એક ભૂવો પડ્યો છે જેને લઈ તંત્ર દોડતું થયું છે. જૂહાપુરામાં જે ભૂવો પડ્યો તે કાચની મસ્જિદ પાસે રોડ ઉપર ભુવો પડ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો હેવી ટ્રક રોડ પરથી પસાર થયો અને અચાનક જ ભુવો પડ્યો. ટાયર ભૂવામાં ફસાય તે પહેલા જ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હતી. ભૂવો પડતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. તંત્ર દ્વારા આસપાસ બેરિકેટ મૂકી દેવામાં આવ્યા હતા.  



 

જમાલપુરમાં પડ્યો મસમોટો ભૂવો

જ્યારે ભૂવો પડ્યો ત્યારે નાનો હતો પરંતુ થોડી જ વારમાં ભૂવો મોટો થઈ ગયો. લોકો ત્યાં આવીને ઉભા રહી ગયા અને જોત જોતામાં ભૂવો મોટો થઈ ગયો હતો. ધીમે-ધીમે નાનો ભુવો મોટા ભુવામાં પરિવર્તિત થઈ ગયો હતો. આસપાસમાંથી પણ થોડો ભાગ તુટીને અંદર પડ્યો હતો. ભૂવાને રીપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી ગઈ છે. ઉલ્લેખનિય છે કે હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. આવી ઘટનાઓ અનેક વખત બની રહી છે. પરંતુ કમોસમી વરસાદને કારણે પણ અમદાવાદમાં પણ ભૂવા પડાવાના સમાચાર સામે આવ્યા હતા. એ જગ્યાએ ફરી એક વખત ભૂવો પડ્યો હતો અને તેમાં ગાડીનો ગરકાવ થયો હતો.    


AMC સાથે લોકો રાખી રહ્યા છે આશા

ઉલ્લેખનિય છે કે કરોડો રૂપિયા રોડ રસ્તા પાછળ વાપરવામાં આવે છે. અમદાવાદના રસ્તાઓ પહેલાથી જ ચર્ચામાં આવતા હતા. પહેલા ખાડાઓને કારણે લોકો ત્રસ્ત હતા ત્યારે હવે ભૂવાને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. એએમસી દ્વારા આ અંગે કોઈ સારૂ કામ કરવામાં આવે તેવી લોકો આશા રાખી રહ્યા છે. પરંતુ તેમને પણ મનમાં અંદાજો છે કે તેમના મનની ઈચ્છા મનમાં જ રહી જશે. તંત્ર બદલાશે પરંતુ પરિસ્થિતિ ત્યાંની જ રહેશે,     




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.