અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિક પોલીસનો આ પ્રયોગ સફળ રહ્યો,અકસ્માતો અને ટ્રાફિક જામની સમસ્યામાં ઘટાડો નોંધાયો


  • Published By :
  • Published Date : 2023-06-01 22:14:05

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તે માટે અનેક પ્રયત્નો કરી રહી છે. આ માટે ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ પ્રયોગો પણ કરવામાં આવે છે જેમ કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સાંજના 6 વાગ્યાથી 8.30 કલાક સુધી ભારે જંક્શન પર સર્વિસ રોડ પરથી પ્રવેશ અને નિકાશ પ્રતિબંધિત કરવામાં આવેલ છે. જેને પણ સર્વિસ રોડ પરથી પસાર થવું હોય તેણે ફરજિયાત મુખ્ય માર્ગ પરથી જ પસાર થવાનું નિર્ધારીત કર્યું હતું.


શું આયોજન કર્યું હતું?


પિક અવર્સમાં ટ્રાફિક પોલીસ દ્વારા સર્વિસ રોડ પર બેરિકેડ મુકી પ્રવેશ બંધ કરવામાં આવેલો અને  તેના પર નાગરિકોની જાણકારી માટે બેનર લગાવવામાં આવેલા જેના પર લખેલું હતું પીક અવર્સ દરમિયાન 18થી 20.30 સુધી ટ્રાફિક સમસ્યા નિવારવા સર્વિસ રોડ પર પ્રવેશ-નિકાસ આવાજવન બંધ રહેશે.


કયા જંક્શન પર કરાયો પ્રયોગ?


આઈ ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના 1 ઠક્કર બાપા નગર, 2 ખોડિયાર નગર 3, રબારી કોલોની, 4 વસ્ત્રાલ, 5 નિકોલ-કઠવાડા ચાર રસ્તા,6 પાંજરાપોળ જંક્શન તેમજ જે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના 1- જશોદાનગર 2- ઈશનપુર ચાર રસ્તા પર પ્રાયોગિક ધોરણે આ કાર્યવાહી કરવામાં આવી હતી.


આવું કરવા પાછળનું કારણ શું હતું?


અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં મુખ્ય રોડ પરથી પસાર થતા વાહન ચાલકો સિગ્નલ જોઈને સ્ટોપ થઇ જતા હતાં પરંતું જંક્શન પર આવેલ 4 સર્વિસ રોડ ઓપર્નિંગ પરના વાહન ચાલકો મનસ્વી રીતે સિગ્નલનું પાલન કર્યા વગર જ  જંક્શન ક્રોસ કરતા હતા. જેને કારણે મુખ્ય માર્ગ પરનો ટ્રાફિક સારી રીતે ચાલી શક્તો નહોતો. અને વધુ અસ્ત-વ્યસ્ત વાહનો વાહન વ્યવહારના કારણે નાના-મોટા અકસ્માતોનું કારણ વધુ જતું હતું.


આ પ્રયોગના કારણે અકસ્માતો ઘટ્યા


ટ્રાફિક પોલીસના આ નવા પ્રયોગના કારણે આઈ ડિવિઝન ટ્રોફિક પોલીસ સ્ટેશનમાં મે-2022ના મહિનામાં કુલ 32 અમકસ્માતો નોંધાયા હતા જેમાં 14 ફેટલ અને 11 જેટલા ગંભીર અકસ્માતોના બનાવો હતા. જે મે-23માં ઘટીને માત્ર 18 જેટલા જ બનવા પામ્યા છે તે ઉપરાંત ટ્રાફિક જામની ઘટનામાં પણ ધરખમ ઘટાડો થયો છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!