અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિક પોલીસનો આ પ્રયોગ સફળ રહ્યો,અકસ્માતો અને ટ્રાફિક જામની સમસ્યામાં ઘટાડો નોંધાયો


  • Published By :
  • Published Date : 2023-06-01 22:14:05

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તે માટે અનેક પ્રયત્નો કરી રહી છે. આ માટે ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ પ્રયોગો પણ કરવામાં આવે છે જેમ કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સાંજના 6 વાગ્યાથી 8.30 કલાક સુધી ભારે જંક્શન પર સર્વિસ રોડ પરથી પ્રવેશ અને નિકાશ પ્રતિબંધિત કરવામાં આવેલ છે. જેને પણ સર્વિસ રોડ પરથી પસાર થવું હોય તેણે ફરજિયાત મુખ્ય માર્ગ પરથી જ પસાર થવાનું નિર્ધારીત કર્યું હતું.


શું આયોજન કર્યું હતું?


પિક અવર્સમાં ટ્રાફિક પોલીસ દ્વારા સર્વિસ રોડ પર બેરિકેડ મુકી પ્રવેશ બંધ કરવામાં આવેલો અને  તેના પર નાગરિકોની જાણકારી માટે બેનર લગાવવામાં આવેલા જેના પર લખેલું હતું પીક અવર્સ દરમિયાન 18થી 20.30 સુધી ટ્રાફિક સમસ્યા નિવારવા સર્વિસ રોડ પર પ્રવેશ-નિકાસ આવાજવન બંધ રહેશે.


કયા જંક્શન પર કરાયો પ્રયોગ?


આઈ ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના 1 ઠક્કર બાપા નગર, 2 ખોડિયાર નગર 3, રબારી કોલોની, 4 વસ્ત્રાલ, 5 નિકોલ-કઠવાડા ચાર રસ્તા,6 પાંજરાપોળ જંક્શન તેમજ જે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના 1- જશોદાનગર 2- ઈશનપુર ચાર રસ્તા પર પ્રાયોગિક ધોરણે આ કાર્યવાહી કરવામાં આવી હતી.


આવું કરવા પાછળનું કારણ શું હતું?


અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં મુખ્ય રોડ પરથી પસાર થતા વાહન ચાલકો સિગ્નલ જોઈને સ્ટોપ થઇ જતા હતાં પરંતું જંક્શન પર આવેલ 4 સર્વિસ રોડ ઓપર્નિંગ પરના વાહન ચાલકો મનસ્વી રીતે સિગ્નલનું પાલન કર્યા વગર જ  જંક્શન ક્રોસ કરતા હતા. જેને કારણે મુખ્ય માર્ગ પરનો ટ્રાફિક સારી રીતે ચાલી શક્તો નહોતો. અને વધુ અસ્ત-વ્યસ્ત વાહનો વાહન વ્યવહારના કારણે નાના-મોટા અકસ્માતોનું કારણ વધુ જતું હતું.


આ પ્રયોગના કારણે અકસ્માતો ઘટ્યા


ટ્રાફિક પોલીસના આ નવા પ્રયોગના કારણે આઈ ડિવિઝન ટ્રોફિક પોલીસ સ્ટેશનમાં મે-2022ના મહિનામાં કુલ 32 અમકસ્માતો નોંધાયા હતા જેમાં 14 ફેટલ અને 11 જેટલા ગંભીર અકસ્માતોના બનાવો હતા. જે મે-23માં ઘટીને માત્ર 18 જેટલા જ બનવા પામ્યા છે તે ઉપરાંત ટ્રાફિક જામની ઘટનામાં પણ ધરખમ ઘટાડો થયો છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.