અમદાવાદ:ફ્લાઈટના ટોયલેટમાં યુવકે એવું કામ કર્યુ કે એરપોર્ટ પર ઉતરતા જ પોલીસે સીધોદોર કરી દીધો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 09:16:27

ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા મુસાફરે નિયમોની કરી ઐસી કી તૈસી
ફ્લાઈટના ટોયલેટમાં જઈને મુસાફરે સિગારેટ પીધી, ક્રૂએ ઝડપી પાડ્યો
ફ્લાઈટ લેન્ડ થતા જ મુસાફરને એરપોર્ટ પોલીસને સોંપી દીધો હતો


કેટલાંક લોકો વિમાનમાં મુસાફરી કરતી વખતે નિયમોની ઐસી તૈસી કરતા હોય છે. ત્યારે દુબઈથી અમદાવાદ આવી રહી ફ્લાઈટના એક મુસાફરે પેસેન્જર્સનો જીવ જોખમમાં મૂકાય એવું કામ કર્યુ હતુ. આ મુસાફરે ફ્લાઈટના ટોયલેટમાં જઈને સિગારેટ પીધી હતી. વાતની જાણ થતા જ ક્રૂએ તેને પકડી પાડ્યો હતો. બાદમાં અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ થતા જ તેને પોલીસના હવાલે કરી દીધો હતો.


કેટલાંક લોકો વિમાનમાં મુસાફરી કરતી વખતે ન કરવાનું કામ કરી બેસતા હોય છે. જે બાદ તેઓને તેનું ગંભીર પરિણામ ભોગવવાનો વારો આવતો હોય છે. ત્યારે આવી જ એક વધુ ઘટના સામે આવી છે. જેમાં એક મુસાફરે ફ્લાઈટના ટોયલેટમાં જઈને એવું કામ કર્યુ કે આખરે તેને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો. આ શખસ દુબઈથી અમદાવાદની ફ્લાઈટમાં આવી રહ્યો હતો. ત્યારે ફ્લાઈટના ટોયલેટમાં જઈને એક એવું કામ કર્યુ કે ફ્લાઈટના ક્રૂએ તેને પકડી પાડ્યો હતો. બાદમાં અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ થયા બાદ પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો. મુસાફરોના જીવ જોખમમાં મૂકાય એવું કામ કરતા તેને શબક શીખવાડવા માટે પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Ahmedabad airport to be partially closed during January-May | Mint

અન્ય પેસેન્જર્સના જીવ જોખમમાં મૂક્યા

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ફ્લાઈટમાં મુસાફરી કરતી વખતે કેટલાંક નિયમો ખાસ પાળવાના હોય છે. ત્યારે કેટલાંક મુસાફરો ફ્લાઈટમાં કેટલાંક નિયમોનું પાલન કરતા હોતા નથી. જેના કારણે અન્ય મુસાફરોના જીવને પણ જોખમ ઉભુ થતુ હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. દુબઈથી અમદાવાદની એક ફ્લાઈટ આવી રહી હતી. આ ફ્લાઈટમાં એક મુસાફરે અન્ય પેસેન્જર્સનો જીવ જોખમમાં મૂકાય એવી હરકત કરી હતી. જે બાદ તેને પાઠ ભણાવવામાં આવ્યો હતો.


ટોયલેટમાં જઈને સિગારેટ પીધી

લાભસિંહ નામના મુસાફરે ફ્લાઈટના ટોયલેટમાં જઈને સિગારેટ પીધી હતી. જો કે, આ વાતની જાણ ફ્લાઈટના ક્રૂને થઈ જતા તેને પકડ્યો હતો. ફ્લાઈટમાં સિગારેટ પીને તેણે અન્ય મુસાફરોનો જીવ જોખમમાં મૂકાય એવું કામ કર્યુ હતુ. બાદમાં ક્રૂએ આ વાતની જાણ ફ્લાઈટના સિક્યુરિટી ઓફિસરને કરી હતી. જ્યારે ફ્લાઈટ અમદાવાદ લેન્ડ થઈ ત્યારે એરપોર્ટ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી લાભસિંહ મૂળ પંજાબના કોઈ ગામનો વતની છે.


પોલીસે મુસાફરને સીધો કરી દીધો

મહત્વની વાત તો એ છે કે, આ મુસાફર ફ્લાઈટમાં સિગારેટ લઈને કેવી રીતે ઘૂસ્યો એ પણ એક મોટો સવાલ છે. કારણ કે જ્યારે કોઈ પણ મુસાફર ફ્લાઈટમાં પ્રવેશ કરે એ પહેલાં તેનું અને સાથે રહેલા સામાનનું ચેકિંગ થતુ હોય છે. જો કોઈ પ્રતિબંધિત કે શંકાસ્પદ વસ્તુ મળે તો તે કબજે કરી લેવામાં આવે છે. એટલે તે ફ્લાઈટમાં સિગારેટ લઈને ઘૂસ્યો એ વાત સાબિત કરે છે ચેકિંગમાં કોઈ બેદરકારી થઈ હશે. આ સિવાય ક્રૂ દ્વારા બીજા એક યુવકને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી લાભસિંહની સાથે કમલજીત નામનો મુસાફર હતો. એ પણ દારુના નશામાં હતો અને માથાકૂટ કરી હતી. ત્યારે આ શખસને પણ એરપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે બંને મામલે અલગ અલગ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લોકસભાની ચૂંટણી પછી સૌથી પહેલો સવાલ હતો કે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે? આ સવાલનો જવાબ આજે અથવા તો કાલે મળી જશે કારણ કે 4-5મી જુલાઈએ એટલે આજે અને આવતી કાલે ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક સાળંગપુરમાં મળવાની છે. આ બેઠકમાં નવા અધ્યક્ષના નામ પર મોહર લાગી શકે છે..

ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી એટલો વિકાસ થયો કે છેક રોડ રસ્તામાં બસ આખી ખાડામાં સમાય શકે છે... મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ગુજરાતમાં કરી અને સ્માર્ટસિટીના દાવા એ જ વરસાદી પાણીમાં ધોવાય ગયા

બ્રિટનમાં સામાન્ય ચૂંટણી માટે ગુરુવારે મતદાન યોજાવાનું છે. બ્રિટનમાં 14 વર્ષથી સત્તા પર રહેલી કન્ઝર્વેટિવ પાર્ટી અને પીએમ ઋષિ સુનક માટે આ ચૂંટણી એક અગ્નિપરીક્ષા સમાન છે. કારણ કે મોટા ભાગના સરવેમાં પાર્ટીની કારમી હારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ, વિપક્ષી લેબર પાર્ટી 2010 પછી સત્તામાં વાપસી કરે તેવી સંભાવનાઓ રહેલી છે.

મહાભારતનું યુદ્ધ ચાલતું હોય અને રણમેદાનમાંથી ભગવાન શ્રી કૃષ્ણ ગીતાનો ઉપદેશ્ય આપે.. કાલિદાસજીના ભોજ પત્રોને ફેંદીએ તો તેમાંથી કવિતા નીકળે.. જનક રાજા હળ ચલાવે તો જમીનમાંથી સીતાજી મળે..