Ahmedabad: સેટેલાઈટ વિસ્તારમાં થયેલી ચોરીનો ઉકેલાયો ભેદ, આ કારણોસર ઘરઘાટીએ માલિકના ઘરે કરી ચોરી!


  • Published By :
  • Published Date : 2024-02-09 12:14:55

આપણે ત્યાં માતા માટે ઘણું લખાયું છે પરંતુ પિતા માટે નથી તો લખાયું અને નથી તો બોલાતું... માતા કહીને પ્રેમ વ્યક્ત કરે છે જ્યારે પિતા મૌન રહીને પ્રેમ વ્યક્ત કરે છે. બાળકોના ભવિષ્ય માટે પિતા કોઈ પણ હદે જઈ શકે છે તેનું એક ઉદાહરણ સામે આવ્યું છે! વાત એમ હતી કે પોતાની દીકરીના અભ્યાસ માટે પિતા ચોરી કરી રહ્યા હતા. થોડા સમય પહેલા સેટેલાઈટ વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી. આ ચોરીને લઈ તપાસ ચાલી રહી હતી. ત્યારે ચોરી કરનાર પિતાને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પશ્ચિમ બંગાળથી તેની ધરપકડ કરવામાં આવી છે.    


સેટેલાઈટ વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો!

સંતાન માટે માતા પિતા અનેક સપના જોતા હોય છે. મોટા થઈને તેમનું સંતાન પ્રગતિ કરે તેવી તેમની ઈચ્છા હોય છે. પરંતુ અનેક વખત આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ નથી કરી શક્તા. અનેક વખત અભ્યાસ માટે લોન પણ લીધી હોય છે. લોનની ભરપાઈ કરવા માટે અનેક લોકો ચોરી કરતા હોય છે. ત્યારે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા એક બંગ્લામાંથી એક કરોડ રૂપિયાની ચોરી થઈ હતી તેના ચોરને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યા છે. પોલીસના હાથે પકડાઈ ના જાય તે માટે આરોપીએ બનાવટી આધારકાર્ડ બનાવીને આપ્યું હતું. 



પશ્ચિમ બંગાળથી ચોરની થઈ ધરપકડ!

જે ચોરીનો ઉલ્લેખ અહીંયા થઈ રહ્યો છે તે થોડા સમય પહેલા બની હતી. સેટેલાઈટ વિસ્તારમાં ઘરઘાટી તરીકે કામ કરતા રાજા ઉર્ફે મોન્ટુ ચૌધરીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે તેવી માહિતી સામે આવી છે. ઘરઘાટીએ ડિજિટલ તિજોરીમાંથી રોકડ, સોના ચાંદીના દાગીના સહિત આશરે એક કરોડોના મુદ્દામાલ જેટલાની ચોરી કરી હતી. સુમધુર સોસાયટીમાં વેપારીના ઘરે ઘરઘાટી તરીકે નોકરી કરતા હતા. ચોરી કરીને ફરાર થઈ ગયેલા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે પશ્ચિમ બંગાળથી ઝડપી પાડ્યો છે ઉપરાંત 6.70 લાખના દાગીના કબજે કરી લીધા છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.