Ahmedabad : માતાએ દીકરીને ઠપકો આપ્યો અને દીકરીએ Police Stationમાં કરી દીધી માતા વિરૂદ્ધ ફરિયાદ! જાણો શું છે સમગ્ર કિસ્સો


  • Published By :
  • Published Date : 2023-10-03 12:59:24

માતા અને દીકરીના સંબંધ વિશે આપણે ત્યાં ઘણું કહેવાયું છે અને લખાયું છે. માતાને દીકરીની પહેલી મિત્ર કહેવામાં આવે છે વગેરે વગેરે... ઘરકામમાં અનેક દીકરી માતાને મદદ કરાવતી હોય છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક દીકરીએ તેની માતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી કારણ કે તેની માતાએ તેને કામચોર કહ્યું અને લાફો માર્યો. આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને માતા વિરૂદ્ધ પોક્સો  એક્ટ અંતર્ગત ગુન્હો નોંધ્યો છે. આ સમાચાર વાંચીને નવાઈ લાગી હશે પરંતુ આ વાત સાચી છે. 

Ahmedabadના IIM રોડ પર ધોળાદિવસે ખાનગી કંપનીનો કર્મચારી લૂંટાયો, 25 લાખ  ભરેલી બેગ લઈને આરોપીઓ ફરાર

માતાએ દીકરીને ડીશ આપવાની કહી તો દીકરીએ કહ્યું... 

આજકાલની જનરેશનને સમજવી કદાય અઘરી છે. જે સપનામાં આપણે વિચાર્યું ન હોય તેવા કામો આજની પેઢી કરે છે. આ વાત એટલા માટે કરવી છે કારણ કે નવરંગપુરાથી એવા સમાચાર સામે આવ્યા કે દીકરીએ પોતાની માતા વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ કરી. નવરંગપુરા વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેમની દીકરી પાસે રસોડામાંથી ડિશ માગી હતી. મળતી માહિતી અનુસાર સવારે દીકરી ચા પી રહી હતી ત્યારે તેની માતા વાસણ ઘસી રહી હતી. આ દરમિયાન માતાએ દીકરી પાસે ડીશ માગી. દીકરીએ કહ્યું કે તે ચા પીને ડીશ આપું. માતાએ કહ્યું કે બેટા વાસણા ધોવાઈ ગયા છે તો તુ મને ડિશ આપી દે તો મારે કામ પૂર્ણ થઈ જાય. દીકરીએ કહ્યું તારે લેવી હોય તો લઈલે અથવા તો રાહ જો. આ દરમિયાન દીકરીને કામચોર કહી


દીકરીએ માતા વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ 

આ બાદ મહિલાએ દીકરીને પૂછ્યું તું શું કામ આવું વર્તન કરે છે? મહિલાએ દીકરીને ઠપકો આપી એક લાફો  માર્યો. માતા દ્વારા મળેલા ઠપકાથી રિસાઈને તે ઘરની બહાર જતી રહી તે પણ કહ્યા વગર. રિસાયેલી દીકરી સીધી ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચી અને માતા વિરૂદ્ધ ફરિયાદ કરાવી દીધી. પોલીસે મહિલા વિરૂદ્ધ ફરિયાદ નોંધી લીધી છે. 


માતા પિતાને શું ઠપકો આપવાનો હક પણ નથી રહ્યો? 

મહત્વનું છે કે આજની પેઢીમાં સહનશક્તિ બિલકુલ નથી રહી. પહેલા જ્યારે મોટા લોકો બાળકોને મારતા હતા ત્યારે બાળકો સહન કરતા હતા. હવે તો સમય એવો આવ્યા છે જ્યાં બાળકો પર માતા પિતા પણ હક નથી જતાવી શક્તા. માતા પિતા બાળકોનું સારું વિચારીને જ તેમને સલાહ આપતા હોય છે પરંતુ આજની પેઢીને એવું લાગે છે કે તે લોકો જ સાચા છે. પરંતુ અનેક કિસ્સાઓમાં એવું નથી હોતું. આ વિશે તમારૂં શું માનવું છે તે અમને જણાવો...  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.