અમદાવાદઃ માણેકચોકમાં મકાન કડડડ ભૂસ્સસસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 19:33:00

આજે અમદાવાદ શહેરમાં 2 માળનું મકાન ધરાશાયી થયું હતું. શહેરના ઝુંપડીની પોળ સાંકડી શેરી માણેક ચોક વિસ્તારમાં આવેલું 2 માળનું મકાન બપોરે અચાનક ધરાશાયી થયું હતું. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હતી નહીં. જ્યારે ઘટના બની ત્યારે તેમાં 3 લોકો ફસાયા હતા. જેની જાણ અમદાવાદ ફાયર બ્રિગેડને થઈ અને ફાયર બ્રિગેડ ટીમ દ્વારા તમામ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા. 


અમદાવાદ ફાયર બ્રિગેડનું કામ 

ઘટનાની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડતી થઈ હતી. ફાયર વિભાગને માહિતી મળી હતી કે 2 માળનું મકાન ધરશાયી થયું છે જેમાં 3 લોકો ફસાયા છે. તુરંત જ ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. કાટમાળમાં એક યુવક અને એક વૃદ્ધ ફસાયા હતા. જેમાં બંનેનું રેસ્ક્યૂ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં વૃદ્ધની હાલત ગંભીર હોવાથી તેમણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું. જ્યારે ઘટના સ્થળે રેસ્ક્યૂ કોલ પર 2 ઈમરજન્સી વાન, 1 MFT, 5 ફર્સ્ટ રિસ્પોન્સ વિહિકલ, એક ચીફફાયર ઓફિસર, એક એડિશનલ ચીફ ફાયર ઓફિસર, 2 ડીએફઓ અને એ એટીઓ તથા 20 ફાયર ફાઈટર જોડાયા હતા.


ધરાશાયી થયેલું મકાન જર્જરીત હતું 

જે મકાન ધરાશાયી થયું હતું તે 60 વર્ષ જૂનું મકાન હોવાનું કેહવામાં આવી રહ્યું છે. બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં ઝૂંપડીની પોળ સાંકડી શેરી માણેક ચોક ખાતે આ મકાન ધરાશાયી થયું.



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.