અમદાવાદઃ માણેકચોકમાં મકાન કડડડ ભૂસ્સસસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 19:33:00

આજે અમદાવાદ શહેરમાં 2 માળનું મકાન ધરાશાયી થયું હતું. શહેરના ઝુંપડીની પોળ સાંકડી શેરી માણેક ચોક વિસ્તારમાં આવેલું 2 માળનું મકાન બપોરે અચાનક ધરાશાયી થયું હતું. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હતી નહીં. જ્યારે ઘટના બની ત્યારે તેમાં 3 લોકો ફસાયા હતા. જેની જાણ અમદાવાદ ફાયર બ્રિગેડને થઈ અને ફાયર બ્રિગેડ ટીમ દ્વારા તમામ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા. 


અમદાવાદ ફાયર બ્રિગેડનું કામ 

ઘટનાની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડતી થઈ હતી. ફાયર વિભાગને માહિતી મળી હતી કે 2 માળનું મકાન ધરશાયી થયું છે જેમાં 3 લોકો ફસાયા છે. તુરંત જ ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. કાટમાળમાં એક યુવક અને એક વૃદ્ધ ફસાયા હતા. જેમાં બંનેનું રેસ્ક્યૂ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં વૃદ્ધની હાલત ગંભીર હોવાથી તેમણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું. જ્યારે ઘટના સ્થળે રેસ્ક્યૂ કોલ પર 2 ઈમરજન્સી વાન, 1 MFT, 5 ફર્સ્ટ રિસ્પોન્સ વિહિકલ, એક ચીફફાયર ઓફિસર, એક એડિશનલ ચીફ ફાયર ઓફિસર, 2 ડીએફઓ અને એ એટીઓ તથા 20 ફાયર ફાઈટર જોડાયા હતા.


ધરાશાયી થયેલું મકાન જર્જરીત હતું 

જે મકાન ધરાશાયી થયું હતું તે 60 વર્ષ જૂનું મકાન હોવાનું કેહવામાં આવી રહ્યું છે. બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં ઝૂંપડીની પોળ સાંકડી શેરી માણેક ચોક ખાતે આ મકાન ધરાશાયી થયું.



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.