Ahmedabad : થાર અને Fortuner ગાડી વચ્ચે ભયંકર અકસ્માત, ત્રણ લોકોએ ગુમાવ્યા જીવ, ગાડીમાંથી મળી આવી દારૂની બોટલ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-01 11:52:56

અમદાવાદના બોપલમાં ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે.. બંને ગાડી વચ્ચે એટલો ગંભીર અકસ્માત થયો છે કે બંને વાહનોનો કચ્ચરઘાણ નિકળી ગયો છે. આ ઘટનામાં ત્રણ જેટલા લોકોના મોત થઈ ગયા હોવાના સમાચાર મળ્યા છે જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત સર્જાઈ તે ફોર્ચ્યુનર કારમાંથી બિયરના ટીન અને દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો છે. ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

News18 Gujarati


અકસ્માતમાં લોકો ગુમાવે છે પોતાનો જીવ    

અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના જીવ ગમખ્વાર અકસ્માતમાં ગયા છે.. અકસ્માત સર્જાયા પાછળ અનેક કારણો હોય છે તેમાંથી સૌથી મોટું કારણ હોય છે સ્પીડનું.. અનેક વખત ગાડીઓ એટલી સ્પીડમાં હોય છે કે જો અચાનક સામે કોઈ આવી જાય તો ગાડી પરથી કાબુ જતો રહેતો હોય છે.. તે સિવાય રોંગ સાઈડ પર આવતા વાહનોને કારણે પણ અકસ્માત સર્જાતા હોય છે.. આ અકસ્માત કેવી રીતે સર્જાયો તેની માહિતી મળી નથી. પોલીસે ઘટના સ્થળ પર આવી તપાસ હાથ ધરી છે. 

News18 Gujarati


ગાડીમાંથી મળી આવી દારૂની બોટલો

બોપલમાં જે અકસ્માત સર્જાયો તે ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે સર્જાયો છે. મળતી માહિતી અનુસાર ગાંધીનગર તરફથી ફોર્ચ્યુનર કાર આવી રહી હતી અને તે ધડાકાભેર થાર કાર સાથે અથડાઈ અને ઘટનાસ્થળ પર ત્રણ લોકોના મોત થઈ ગયા છે.. ગાડીમાંથી દારૂની બોટલો મળી આવી છે. ગુજરાતમાં તો દારૂબંધી છે.. 

News18 Gujarati


કોઈ પણ ડર વગર લોકો ગાડીમાં લઈને ફરે છે દારૂની બોટલ!

ફરી એક વખત દારૂબંધી કાયદાના ધજાગરા ઉડ્યા છે. ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે તેવી ઘટનાઓ અનેક વખત આપણી સામે આવી છે.. હવે તો ગાડીમાં લોકો દારૂની બોટલ રાખે છે અને તે પણ કોઈ પણ ડર વગર.. કાયદા વ્યવસ્થાનો તો જાણે લોકોને ડર જ નથી.. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..           



ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી એટલો વિકાસ થયો કે છેક રોડ રસ્તામાં બસ આખી ખાડામાં સમાય શકે છે... મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ગુજરાતમાં કરી અને સ્માર્ટસિટીના દાવા એ જ વરસાદી પાણીમાં ધોવાય ગયા

બ્રિટનમાં સામાન્ય ચૂંટણી માટે ગુરુવારે મતદાન યોજાવાનું છે. બ્રિટનમાં 14 વર્ષથી સત્તા પર રહેલી કન્ઝર્વેટિવ પાર્ટી અને પીએમ ઋષિ સુનક માટે આ ચૂંટણી એક અગ્નિપરીક્ષા સમાન છે. કારણ કે મોટા ભાગના સરવેમાં પાર્ટીની કારમી હારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ, વિપક્ષી લેબર પાર્ટી 2010 પછી સત્તામાં વાપસી કરે તેવી સંભાવનાઓ રહેલી છે.

મહાભારતનું યુદ્ધ ચાલતું હોય અને રણમેદાનમાંથી ભગવાન શ્રી કૃષ્ણ ગીતાનો ઉપદેશ્ય આપે.. કાલિદાસજીના ભોજ પત્રોને ફેંદીએ તો તેમાંથી કવિતા નીકળે.. જનક રાજા હળ ચલાવે તો જમીનમાંથી સીતાજી મળે..

રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમણે પ્રહાર કર્યા હતા તે ઉપરાંત અનેક એવા મુદ્દાઓ હતા જેને લઈ તેમણે વાત કરી હતી. પીએમ મોદી જ્યારે આ અંગે વાત કરી રહ્યા હતા ત્યારે વિપક્ષ દ્વારા મણિપુરને ન્યાય આપો તેવા નારા લગાવવામાં આવ્યા.ત્યારે આજે પીએમ મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર વક્તવ્ય આપ્યું છે .