Ahmedabad : થાર અને Fortuner ગાડી વચ્ચે ભયંકર અકસ્માત, ત્રણ લોકોએ ગુમાવ્યા જીવ, ગાડીમાંથી મળી આવી દારૂની બોટલ!


  • Published By :
  • Published Date : 2024-07-01 11:52:56

અમદાવાદના બોપલમાં ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે.. બંને ગાડી વચ્ચે એટલો ગંભીર અકસ્માત થયો છે કે બંને વાહનોનો કચ્ચરઘાણ નિકળી ગયો છે. આ ઘટનામાં ત્રણ જેટલા લોકોના મોત થઈ ગયા હોવાના સમાચાર મળ્યા છે જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત સર્જાઈ તે ફોર્ચ્યુનર કારમાંથી બિયરના ટીન અને દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો છે. ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

News18 Gujarati


અકસ્માતમાં લોકો ગુમાવે છે પોતાનો જીવ    

અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના જીવ ગમખ્વાર અકસ્માતમાં ગયા છે.. અકસ્માત સર્જાયા પાછળ અનેક કારણો હોય છે તેમાંથી સૌથી મોટું કારણ હોય છે સ્પીડનું.. અનેક વખત ગાડીઓ એટલી સ્પીડમાં હોય છે કે જો અચાનક સામે કોઈ આવી જાય તો ગાડી પરથી કાબુ જતો રહેતો હોય છે.. તે સિવાય રોંગ સાઈડ પર આવતા વાહનોને કારણે પણ અકસ્માત સર્જાતા હોય છે.. આ અકસ્માત કેવી રીતે સર્જાયો તેની માહિતી મળી નથી. પોલીસે ઘટના સ્થળ પર આવી તપાસ હાથ ધરી છે. 

News18 Gujarati


ગાડીમાંથી મળી આવી દારૂની બોટલો

બોપલમાં જે અકસ્માત સર્જાયો તે ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે સર્જાયો છે. મળતી માહિતી અનુસાર ગાંધીનગર તરફથી ફોર્ચ્યુનર કાર આવી રહી હતી અને તે ધડાકાભેર થાર કાર સાથે અથડાઈ અને ઘટનાસ્થળ પર ત્રણ લોકોના મોત થઈ ગયા છે.. ગાડીમાંથી દારૂની બોટલો મળી આવી છે. ગુજરાતમાં તો દારૂબંધી છે.. 

News18 Gujarati


કોઈ પણ ડર વગર લોકો ગાડીમાં લઈને ફરે છે દારૂની બોટલ!

ફરી એક વખત દારૂબંધી કાયદાના ધજાગરા ઉડ્યા છે. ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે તેવી ઘટનાઓ અનેક વખત આપણી સામે આવી છે.. હવે તો ગાડીમાં લોકો દારૂની બોટલ રાખે છે અને તે પણ કોઈ પણ ડર વગર.. કાયદા વ્યવસ્થાનો તો જાણે લોકોને ડર જ નથી.. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..           



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે