Ahmedabad : Sindhu bhavan રોડ નબીરોઓનું હોટસ્પોટ બન્યું! રેસ લગાવવના ચક્કરમાં કારે સર્જ્યો અકસ્માત, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-13 10:14:33

ઓવર-સ્પીડિંગને કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે તેવા સમાચારો અનેક વખત કહેવામાં આવે છે. થોડા સમય પહેલા નબીરા તથ્ય પટેલે સિંધુભવન પર એક અકસ્માત સર્જ્યો હતો જેમાં 9થી 10 લોકોના મોત થયા હતા. તથ્ય પટેલ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે અમદાવાદના સિંધુભવનમાં ફરી અકસ્માત સર્જાયો છે. સિંધુભવનમાં મર્સિડીઝ અને ઓડી કારચાલકે રેસ કરી હતી અને આ દરમિયાન મર્સિડીઝ કારે બે વાહનોને અડફેટે લીધા છે તેવી માહિતી સામે આવી છે.

 અમદાવાદ: શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરમાં ઇસ્કોન બ્રિજ પર બનેલી ખૂબ જ ગમખ્વાર અકસ્માતની ઘટના બાદ પણ નબીરાઓ સુઘરતા નથી. તથ્યની દિવાલી જેલમાં છતાં નબીરાઓ ગેલમાં જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં દિવાળીના દિવસે નબીરાઓ બેફામ બન્યા હતા. સિંધુભવન રોડ પર નબીરાએ અકસ્માત સર્જ્યો હતો. મર્સિડીઝ અને ઓડી કારચાલકે રેસિંગ કર્યું હતું. રેસ લગાડવાની લ્હાયમાં મર્સિડીઝ કારે બે વાહનોને અડફેટે લીધા હતા.

 નબીરાઓની કરતૂતને લીધે દિવાળીના દિવસે જ અનેક નિર્દોષ લોકોનો જીવ જોખમમાં મુકાયો હતો.

સિંધુભવન રોડ પર ફરી સર્જાયો અકસ્માત 

ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ એવી આશા હતી કે કદાચ નબીરાઓ સુધરી જશે. તેમને ભલે પોતાના જીવની કદર નહીં હોય પરંતુ તેમને બીજાના જીવનની કદર હશે તેવું માનવામાં આવતું હતું. પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં રહી. નબીરાઓ બેફામ રીતે ગાડી ચલાવે છે અને લોકોના જીવને જોખમમાં મૂકે છે. તથ્ય પટેલની દિવાળી જેલમાં થશે. તથ્ય પટેલ કેસમાંથી પણ  નબીરાઓ સુધરતા નથી તેવું લાગી રહ્યું છે કારણ કે સિંધુભવનમાં ફરી એક વખત અકસ્માત સર્જાયો છે. દિવાળીના દિવસો દરમિયાન નબીરાઓ બેફામ બન્યા છે. સિંધુભવન રોડ પર નબીરાએ અકસ્માત સર્જ્યો હતો. 

 અમદાવાદમાં દિવાળીનાં દિવસે નબીરાઓ બેફામ બન્યા હતા. સિંધુભવન રોડ પર મોડી રાત્રે બેફામ-પૂરઝડપે આવતી મર્સિડીઝ કારે અકસ્માત સર્જ્યો હતો. મર્સિડીઝ ચાલક અને અન્ય કારચાલક વચ્ચે રેસ લાગી જેમાં બે કારને ટક્કર લાગતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અનેક ગાડીઓ આવી અડફેટે 

દિવાળીના સમય દરમિાયન અનેક રોડ ખાલી હોય છે. જેને કારણે અનેક વાહનચાલકો બેફામ બની વાહન ચલાવતા હોય છે. રોડ તેમના બાપનો હોય તેવી રીતે નબીરાઓ ગાડી ચલાવતા હોય છે. ત્યારે અમદાવાદના સિંધુ ભવનમાં ફરી એક વખત અકસ્માત સર્જાયો છે. મર્સિડીઝ અને ઓડી કારચાલકે રેસિંગ કર્યું હતું. રેસ લગાડવાની લ્હાયમાં મર્સિડીઝ કારે બે વાહનોને અડફેટે લીધા હતા. મળતી માહિતી અનુસાર મર્સિડીઝ ચાલક અને અન્ય કારચાલક વચ્ચે રેસ લાગી જેમાં બે કારને ટક્કર લાગતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. મર્સિડીઝ ગાડીની સ્પીડ એટલી હતી કે ટક્કર થયા બાદ પણ 500 મીટર જેટલી ગાડી ઢસડાઈ હતી. 

 મર્સિડીઝ ચાલકની સ્પીડ એટલી હતી કે અન્ય કારને ટક્કર લાગ્યા બાદ મર્સિડીઝ એટલી બેકાબૂ થઈ હતી કે એક વ્હીલ નીકળી ગયું હોવા છતાં 500 મિટર જેટલી ઢસડાતી રહી.

પોલીસે ઘટનાસ્થળ પર આવી આગળની કાર્યવાહી હાથ ધરી

આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર મળ્યા નથી. પરંતુ તહેવારના દિવસે મોટી દુર્ઘટના ટળી છે. જો કોઈ વ્યક્તિ આ સમય દરમિયાન ત્યાંથી પસાર થતો હોત તો તે આ અકસ્માતમાં ભોગ બન્યો હોત! સદનસીબે આ ઘટનામાં જાનહાની ટળી છે. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી છે અને આગળની તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે ક્યાં સુધી નબીરાઓના કારણે નિર્દોષ લોકોના જીવન સંકટમાં મૂકાતા રહેશે?    



આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.