અમદાવાદના સફાઈ કર્મીઓએ એસીડ ગટગટાવ્યું, હાલત ગંભીર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 19:43:41

દેશમાં એક તરફ સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યું છે તો બીજી તરફ અમદાવાદમાં સફાઈ કામદારો પોતાની પડતર માગણીઓને લઈ રસ્તા પર ઉતરી આવ્યા છે. બોપલ તેમજ ઘુમા વિસ્તારના 53 જેટલા જ સફાઈ કામદારોને કોર્પોરેશનમાં રોજિંદા કર્મચારી તરીકે નિમણૂક કરાતા વિવાદ સર્જાયો છે. પોતાની માગ ન સ્વીકારાતા સફાઈ કામદારોએ આત્મ વિલોપન કરવાનો પ્રયત્ન કર્યો છે. સફાઈ કામદારોએ ફિનાઈલ પી લેતા સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.



તમામ સફાઈ કર્મચારીને નોકરી ન મળતા ભભૂક્યો રોષ  

બોપલ અને ઘુમાં વિસ્તાર સફાઈ માટે જ્યારે નગરપાલિકામાંથી કોર્પોરેશનમાં ભળ્યું ત્યારે અમિત શાહની સૂચના બાદ 53 જેટલા કર્મચારીઓનું લીસ્ટ કોર્પોરેશનમાં અપાયું હતું. જે બાદ 2 સપ્ટેમ્બરથી તેઓ પોતાના કામ પર લાગ્યા હતા. માત્ર 53 સફાઈ કર્મચારીઓને જ કામ પર રખાતા બાકીના સફાઈ કર્મચારીએ વિરોધ નોંધાવ્યો હતો. અનેક કર્મચારી કામ પર પહોંચ્યા હતા તો બાકીના કર્મચારીઓ પોતાના કામ પર ન પહોંચ્યા હતા. બોપલ વિસ્તારમાં સફાઈ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 25 જેટલી મહિલાઓ તેમજ પુરૂષ કામદારો બોપલ વિસ્તારમાં ચાલી રહેલી સફાઈના સ્થળે પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. 


પોતાની માગ ન સ્વીકારાતા સફાઈ કર્માચારીઓનો AMC સામે વિરોધ 

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટના જણાવ્યા અનુસાર સવારથી જ પોલીસ બંદોબસ્ત વચ્ચે સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બોપલ વિસ્તારમાં સફાઈ માટે જે કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી તેમાંથી કેટલાક કર્મચારીઓ હાજર થયા હતા. પરંતુ ઉપસ્થિત સફાઈ કર્મચારીઓ દ્વારા જે કામગીરી થઈ રહી છે તેમાં તેઓ અડચણરૂપ બની રહ્યા છે અને તંત્રને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો પી.આર. જાડેજા (બોપલ પોલીસ સ્ટેશનના PI)એ જણાવ્યું હતું કે કેટલાક કર્મચારીઓએ ફિનાઇલ પીધું હોવાનું જાણવા મળ્યું છે અને હાલમાં તેઓને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.  


આત્મવિલોપન કરવાનો કરાયો પ્રયાસ 

વિરોધ કરી રહેલા આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો. સફાઈ કામદારોએ ઉગ્ર બની સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. 6 લોકોએ ફિનાઈલ પીને પોતાના જીવનને ટુંકાવાનો પ્રયાસ કર્યો હતો. ફિનાઈલ પી લેતા 3 મહિલા અને 3 પુરૂષોને સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોતાની માગ ન સ્વીકારાતા આત્મવિલોપન કરવાનો પ્રયાસ કેટલો યોગ્ય



માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.

આપણી આસપાસ એવા લોકો હશે જે ખાવાની કદર નહીં કરતા હોય... અન્નો અનાદર કરતા હોય.. થાળીમાં પીરસાતા ભોજનનો તીરસ્કાર કરતા હોય છે, અથવા તો એંઠું મૂકી દેતા હોય છે, પરંતુ આ સમયે તે નથી વિચારતા કે અન્નને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હશે અને કેટલી મહેનત લાગી હશે..

વિધાનસભામાં પણ શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠ્યો છે.. અનેક વખત અલગ અલગ રીતથી ઉમેદવારો સરકાર સુધી પોતાની વાત મૂકવાનો પ્રયત્ન કરે છે ત્યારે ફરી એક વખત ઉમેદવારો પોતાની માગ સાથે પહોંચ્યા છે પરંતુ સરકાર સમક્ષ નહીં પરંતુ ગણપતિ દાદા સમક્ષ....

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગાડીઓ હવામાં ઉડી રહી હોય તેવું લાગે.. હાલમાં જ અલવરમાં દિલ્હી-વડોદરા એક્સપ્રેસ-વેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં જોવા મળ્યું હતું કે રસ્તામાં ખામીને કારણે પૂરપાટ ઝડપે ચાલતી કાર હવામાં ઊછળી રહી છે.