અમદાવાદની હવા છે ગુજરાતની સૌથી પ્રદુષિત હવા! જાણો કયા વિસ્તારોની હવા બની રહી છે ઝેરી હવા


  • Published By :
  • Published Date : 2023-04-17 11:43:58

એક સમચ એવો હતો જ્યારે પ્રદુષણને લઈ દિલ્હીની વાત કરવામાં આવતી હતી. દિલ્હીની હવા પ્રદુષિત હતી. ત્યારે હવે ગુજરાતની હવા પણ પ્રદુષિત થઈ રહી છે. રાજ્યમાં થઈ રહેલો એક તરફી વિકાસનો ભોગ પ્રકૃતિને બનવું પડી રહ્યું છે. અમદાવાદ અને વટવા ગુજરાતના સૌથી પ્રદુષિત શહેરો છે તેવો રિપોર્ટ કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે. અમદાવાદની હવા ઝેરી બનતી જઈ રહી છે. 


અમદાવાદની હવા બની ઝેરી! 

કેન્દ્રીય વન પર્યાવરણ વિભાગે પ્રદુષિત શહેરોની યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના શહેરોનો પણ સમાવેશ થાય છે. સમગ્ર ગુજરાતના શહેરોમાં વધતા પ્રદુષણની વાત કરીએ તો તેમાં અમદાવાદ શહેરનું નામ સૌથી આગળ છે. અમદાવાદ શહેરની હવા સૌથી વધારે પ્રદુષિત છે. હવામાં પાર્ટીક્યુલેટ મેટર એટલે કે પીએમ-10ની માત્રા સતત વધતી જઈ રહી છે. જેને લઈ ચિંતામાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદનો વટવા વિસ્તાર સૌથી પ્રદુષિત છે. વટવા સિવાય અમદાવાદની પીએમ 121 નોંધાઈ હતી, અંકલેશ્વરનું 120 પીએમ, જામનગરમાં 116 પીએમ, વાપીનું 114 પીએમ, વડોદરાનું પીઅમ 111 નોંધાયું હતું. સુરતનું પીએમ 100 નોંધાયું હતું.      



કપાતા વૃક્ષોને કારણે વધી રહ્યું છે પ્રદુષણ!

ત્યારે વધતું પ્રદુષણ એક ચિંતાજનક વિષય છે. કારણ કે જો હવા જ પ્રદુષિત હશે તો લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડશે. ત્યારે અમદાવાદનું એર ક્વોલિટી ઈન્ડેક્સના આંકડા ડરાવનારા છે. પ્રદુષણનું સ્તર સતત વધતું જઈ રહ્યું છે. ત્યારે પ્રદુષણ વધવાનું કારણ વૃક્ષોનું પતન પણ છે. વિકાસના નામે અનેક વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે. ત્યારે કપાતા વૃક્ષોને કારણે પ્રદુષણ વધતું જઈ રહ્યું છે.     




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.