અમદાવાદમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ છેલ્લા 30 દિવસમાં 3324 કેસ નોંધાયા, 48 લાખથી વધુનો દંડ વસૂલાયો


  • Published By :
  • Published Date : 2023-09-01 21:27:59

અમદાવાદના ઈસ્કોન બ્રીજ પર તથ્ય પટેલ નામના નબીરાએ ગમખ્વાર અકસ્માત સર્જીને 10 લોકોનો ભોગ લીધો હતો. જો આ ભયાનક દુર્ઘટના બાદ શહેર પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને સ્પેશિયલ ડાઈવ શરૂ કરી છે. અમદાવાદ ઈન્ચાર્જ આરટીઓએ નિયમોના ભંગ કરનારા શહેરના વાહન ચાલકો સામે કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદ ઈન્ચાર્જ આરટીઓએ છેલ્લા 30 દિવસમાં અમદાવાદ શહેરવાસીઓ પાસેથી 48 લાખથી વધુનો દંડ વસૂલ્યો છે. અમદાવાદ આરટીઓએ ઓવર સ્પીડમાં વાહન ચલાવતા 215 કેસ નોધાયા છે. તેમજ ડેન્જર ડ્રાઈવિંગ મામલે પણ 148 કેસ નોંધાયા છે. ઓવર સ્પીડ અને ડેન્જર ડ્રાઈવિંગમાં લાયસન્સ રદ સુધીની કાર્યવાહી કરવામાં આવે છે. અને ડેન્જર ડ્રાઈવિંગ કેસમાં 2 લાખ 58 હજારનો દંડ વસુલ કર્યો છે. છેલ્લા 30 દિવસમાં અમદાવાદ શહેરમાં 3324 કેસ નોંધાયા છે. 


આ નિયમોના ભંગ બદલ થઈ કાર્યવાહી


અમદાવાદ ઈન્ચાર્જ આરટીઓએ આ અંગે જણાવ્યુ છે કે, છેલ્લા 30 દિવસમા ટ્રાફિક અને આરટીઓના નિયમ ભંગ બદલ પીયુસી ન હોવાના 788 કેસમાં 3 લાખ 96 હજારનો દંડ વસુલ કર્યો છે. લાયસન્સ ન હોવાના 680 કેસમાં 14 લાખ 36 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો. ઈન્સ્યોરન્સ ન હોવા બદલ 494 કેસ 9 લાખ 94 હજારનો દંડ લેવામાં આવ્યો છે. હેલમેટ 156 કેસ, ડેન્જર ડ્રાઈવિંગના 148 કેસ અને ઓવર સ્પીડના 215 સહિન કુલ 3324 કેસમા નોંધાયા છે. 48 લાખથી વધુનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. ઓવર સ્પીડ માટે પણ નિયમ છે, જો કે દરેક રોડ પર અલગ અલગ સ્પીડ નક્કી કરવામાં આવેલ છે. અને જો એ સ્પીડ પ્રમાણે વાહન ચલાવતા નથી તો ઓવર સ્પીડ વાહનને લઈ કાર્યવાહી થય શકે છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.