અમદાવાદ: વ્યાજખોરોએ સ્પા સંચાલકને રૂપિયા નહીં આપે તો કિડની વેચી નાખવાની ધમકી આપતા હડકંપ


  • Published By :
  • Published Date : 2023-12-11 20:26:39

રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસે-દિવસે વધી રહ્યો છે, માણસની મજબુરીનો લાભ ઉઠાવી ચક્રવૃધ્ધી વ્યાજ વસુલતા વ્યાજખોરોની હેરાનગતિથી કંટાળી પીડિત વ્યક્તિ મોતને વ્હાલું કરતા અચકાતી નથી. રાજ્યના ગૃહ વિભાગે વ્યાજખોરોના ત્રાસથી પીડિત લોકોને ન્યાય અપાવવા રાજ્યભરમાં ખાસ ઝૂંબેશ ચલાવી હતી. જો કે જેવી આ ઝૂંબેશ નબળી પડી કે, થોડા જ સમયમાં વ્યાજખોરો ફરીથી સક્રિય બની ગયા છે. લોકોના ઘર, મિલકત અને જમીન પચાવી પાડવાના કિસ્સા વધી રહ્યાં છે. અમદાવાદમાં એક સ્પા સંચાલક પાસે વ્યાજખોરોએ વ્યાજના રૂપિયાની માગ કરીને કિડની વેચી કાઢવાની ધમકીઓ આપતા સ્પા સંચાલકે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ચાર વ્યાજખોરો સામે FIR નોંધઆવતા પોલીસે આ મામલે આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરી છે.  


શું છે સમગ્ર મામલો?


અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને માનસી સર્કલ પાસે સ્પા ચલાવતા રાજુભાઈ કોટિયાએ વધુ સ્પા ખોલવા અને ધંધો વિસ્તારવા માટે ચાર વ્યાજખોરો પાસેથી કટકે-કટકે 1 કરોડ જેટલા રૂપિયા વ્યાજે લીધા હતા. જો કે તેમની આ ભૂલ તેમના માટે હવે મોટી મુશીબત બની રહી છે. રાજુભાઈ કોટિયાના જણાવ્યા મુજબ સ્પાનો વ્યવસાય સારો ચાલતો હોવાથી તેમણે વધુ સ્પા ખોલવા, ફર્નિચર બનાવવા અને જૂની બેન્કની લોનના હપ્તા ભરવા માટે પૈસાની જરૂરિયાત હોવાથી પોતાના મિત્ર હાર્દિક ત્રિપાઠી થકી વર્ષ 2020માં વનરાજસિંહ ચાવડા નામના શખ્સ પાસેથી 55 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેને સમયસર વ્યાજ ચૂકવી દેતા હતા. તેમ છતાં જો ક્યારેક વ્યાજ ચૂકવવામાં મોડુ થાય તો ધાક ધમકી આપવામાં આવતી હતી. આ ઉપરાંત બીજા 2.50 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. એ રકમ પણ ચુકવી દીધી હોવા છતાં પત્નીની કાર બળજબરીથી લઇ લીધી હતી. વનરાજ ચાવડાને 35 લાખ રૂપિયા ટૂકડે-ટૂકડે કરીને ચૂકવી દીધા હતા. જોકે છેલ્લા ત્રણ મહિનાથી વ્યાજ ચૂકવી ન શકતા અને સરકારી ધારા-ધોરણ કરતા પણ વધારે વ્યાજ ચૂકવવામાં આવ્યું હોવા છતાં પણ વનરાજ ચાવડા દ્વારા ધાક ધમકીઓ આપવામાં આવતી હતી. તેમજ પૈસા નહીં આપે તો કિડની વેચી કાઢવાની અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો હતો. મનોજ ખત્રી પાસેથી પણ ફરિયાદીએ 2022માં 45 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. સમયસર વ્યાજ ચૂકવવાની સાથે પહેલા 30 લાખ રૂપિયા અને બાદમાં 15 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. તેમ છતાં મનોજ ખત્રી દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી ધમકીઓ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત હાર્દિક ત્રિપાઠી અને કમલેશ પટેલ દ્વારા પણ ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે વર્ષ 2020થી અત્યાર સુધીમાં વનરાજસિંહ ચાવડા, મનોજ ખત્રી, હાર્દિક ત્રિપાઠી, કમેલશ પટેલને સરકારી ધારા-ધોરણ કરતા વધારે વ્યાજ ચૂકવવામાં આવ્યું હોવા છતાં પણ આ વ્યાજખોરો દ્વારા ફરિયાદીને તેની ઓફિસ અને ઘરે જઇને તથા ફોન પર અવાર-નવાર વધુ વ્યાજ આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે અને ધાકધમકીઓ આપવામાં આવી રહી છે. જીવનું જોખમ વધતા રાજુભાઈએ ચાર વ્યાજખોરો સામે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


વ્યાજના ચક્કરમાં જમીન,મકાન અને સોનું વેચવું પડ્યું


રાજુભાઈ કોટિયાના જણાવ્યા પ્રમાણે ચારેય વ્યાજખોરોનાં ત્રાસથી ફરિયાદીએ પોતાની જમીન, મકાન સોનું સહિત કિંમતી ચીજ-વસ્તુઓ વેચી તમામ પૈસા વ્યાજ સહિત ચૂકી દીધા હતા તેમ છતાં પણ છેલ્લા 3 મહિનાથી વ્યાજખોરો ત્રાસ આપતા હતા. વ્યાજખોર વનરાજસિંહ ચાવડા નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર હોવાનો પણ ફરિયાદી રાજુભાઈનો આક્ષેપ છે. જેથી સેટેલાઇટ પોલીસએ ચાર વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધીને તેમના ગુનાહિત ઇતિહાસ ને લઈ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત આ વ્યાજખોરો એ અન્ય કોઈ પરિવાર પાસેથી વ્યાજની ઉઘરાણી કરી છે કે નહિ તે મુદ્દે તપાસ હાથ ધરી છે. થોડાક સમય અગાઉ ગુજરાત પોલીસે અનેક વ્યાજખોરો સામે ગુના નોંધીને તેમને જેલના હવાલે કર્યા હતા. આમ છતાં કેટલાક વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીના બનાવો રાજ્યના વિવિધ શહેરોમાં વધી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!