Ahmedabad રિંગ રોડ પર ACBએ 100 રુપિયાની લાંચ લેતા પોલીસકર્મીને ઝડપી પાડ્યા, નાના કર્મીઓને પકડાય છે પરંતુ...


  • Published By :
  • Published Date : 2023-11-23 10:29:09

અમદાવાદનો રિંગ રોડ પોલીસ માટે તોડ કરવાનો રોડ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. તોડકાંડની શાહી હજી સુકાઈ નથી અને ફરી એકવાર એક નાની માછલી ઝડપાઇ છે. પણ મગરમચ્છ કેમ નથી ઝડપાતા તે સવાલ છે? અનેક વખત આવા સમાચાર સામે આવતા હોય છે કે 100 રુપિયા કે 1000 રુપિયાની લાંચ લેતા કર્મીઓ પકડાય છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. 

100 રુપિયાની લાંચ લેતા પકડાયા કોન્સ્ટેબલ

અમદાવાદ રિંગરોડ પર ફરી એકવાર લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ પકડાયા છે. અમદાવાદમા મેચના દિવસે થયેલા તોડકાંડ બાદ ACB એક્ટિવ થઇ હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ રિંગ રોડના ઓગણજ સર્કલ પર ACBએ ઇન્દ્રસિંહ કપુરજી ઠાકોર નામના કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથ પકડ્યા છે. ACBની ટીમ છોટા હાથી ગાડીમાં બેસી ગઈ હતી અને ઓગણજ સર્કલ પર ઉભેલા એક કોન્સ્ટેબલે 100 રૂપિયાની લાંચ માંગી હતી. લાંચ લેતાની સાથે જ તેને એસીબીએ પકડી લીધો હતો. અમદાવાના રિંગરોડ પર પર સામાન્ય રીતે અમદાવાદ બહારના લોકો પસાર થતા હોય છે. જેમને પોલીસ રોકી તેમની પૂછપરછ કરે છે ને પછી જો સેટલ થાય તો સેટલ પણ કરે છે. અને કદાચ એમના અધિકારીઓને પણ આ બાબતની ખબર હશે. 


નાના પોલીસ કર્મચારીને પકડી લેવાય છે પરંતુ... 

હવે જે મગરમચ્છની વાત કરવામાં આવી રહી છે તે કથિત રીતે કહેવાતા વહીવટદાર છે. સૂત્રો દ્વારા અમને એવું જાણવા પણ મળ્યું છે આવા વહીવટદારો નાના પોલીસ કમર્ચારીઓ પાસેથી રૂપિયા લે છે અને અધિકારીઓ સુધી પહોંચાડે છે. સૂત્રોનું કહેવું એ પણ છે કે આ કથિત વહીવટદારો પોતાના આકાઓને ખુશ કરવા કર્મચારીઓનું શોષણ સુધી કરતા હોય છે. એટલે જ માછલીઓનો ભોગ લેવાઈ જાય છે અને મગરમચ્છ બિન્દાસ્ત ફરતા હોય છે.



ન માત્ર પોલીસ પરંતુ લોકો પણ હોય છે જવાબદાર!

આવા તોડબાજ પોલીસ કર્મચારીઓ અને તેમના વહીવટદારો જાહેર જનતાના ખિસ્સા ખાલી કરી તેમના આકાઓને ખુશ રાખતા હોય છે. એટલે જ આપણે આવા લોકોથી બચીને રહેવું પડશે કારણ કે વાંક આપણો પણ છે આપણા માય એવા કેટલાય લોકો છે જે સેટલ કરવામાં માહેર છે. અને પછી કહેતા હોય કે જો પતાવી દીધું ને ! પોલીસ ક્યારેય સામાન્ય માણસને હેરાન કરી જ ના શકે જો તો તમે બધા જ કાગળો અને દારૂ પીધા વગર કે લીધા વગર નીકળશો તો તમારે આ સેટલ નહિ કરવું પડે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.