Ahmedabad : Social Media Platform પર યુઝરે પૂછ્યો પ્રશ્ન, વાંચો કયા મુદ્દાને લઈ પૂછ્યો પ્રશ્ન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-25 11:15:52

અનેક વખત એવા સમાચાર સાંભળ્યા હશે કે વિદેશની ધરતી પર  હિન્દુ મંદિરોની દિવાલ પર ખરાબ વાક્યો લખવામાં આવ્યા હોય. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં હિંદુ મંદિરોને નિશાન બનાવવામાં આવે છે. ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર chiragkapuriya નામના યુઝર્સે એક પોસ્ટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે ઈસરોની સામે શિવાનંદ આશ્રમની બાજુમાં જતા રોડ પર મહિનાઓથી સ્પે કલરથી કોઈ ચિતરી રહ્યું છે.

chiragkapuriya નામના યુઝરે શેર કરી પોસ્ટ 

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાથી અનેક વખત સમસ્યાનું સમાધાન થઈ જતું હોય છે. અનેક નેતાઓ, પદાધિકારીઓ એવા છે જે સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય છે. જો તેમને ટેગ કરવામાં આવે તો તે વસ્તુની નોંધ પણ લેતા હોય છે અને બને તેટલી મદદ પણ કરતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર  chiragkapuriya નામના યુઝરે એક પોસ્ટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે ઈસરો ની સામે શિવાનંદ આશ્રમની બાજુમાં જતાં રોડ પર દીવાલો પર અશ્લીલ ભાષામાં ગાળો, મનુષ્યો ના ગુપ્તાંગો ના ચિત્રો, અપશબ્દો સ્પ્રે કલર થી મહિનાઓ થી કોઈ ચીતરી રહ્યું છે. વાંચતા એવું લાગે કે કોઈ ઇલાઈટ અંગ્રેજી માધ્યમ શાળા ના teenage વિદ્યાર્થીઓનું કારસ્તાન હોઇ શકે. કોને ટેગ કરવા?


અલગ અલગ લોકોએ આપી પ્રતિક્રિયા 

મહત્વનું છે કે આ પોસ્ટ પર અલગ અલગ લોકોએ પ્રતિક્રિયા પણ આપી છે. જે વ્યક્તિએ આ પોસ્ટ કરી છે તેમણે એક ફોટો શેર કર્યો છે જેમાં તેમણે મેપ મૂક્યો છે જ્યાંની દીવાલો પર સ્પ્રેથી લખવામાં આવ્યું છે. કોઈએ લખ્યું કે By tagging or Complaining someone will never work here I guess, એની જગ્યા એ આપણા જેવા લોકો ભેગા થઈ તેના ઉપર જ કોઈ સુવિચાર કે સમાજ ને અને એવા છોકરા ઓ ને inspiring msg આપે એવુ ચિત્ર દોરી એ તો? તો કોઈએ લખ્યું કે એ તો અમદાવાદએએમસીને જ ટેગ કરવાનાં હોય ને બીજા કોણ કરે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.