Ahmedabad : માત્ર થોડા કલાકોના વરસાદમાં ખુલી નબળી કામગીરીની પોલ! શેલામાં એટલો મોટો ભુવો પડ્યો કે... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-07-01 12:21:57

અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે.. ગઈકાલે અમદાવાદમાં સારો એવો વરસાદ વરસ્યો.. વરસાદ વરસે તે પહેલા જ અનેક જગ્યાઓથી ભુવા પડવાના સમાચાર આમે આવતા હતા. ત્યારે સવાલ થતો કે હમણા આ હાલ છે તો જ્યારે વરસાદી માહોલ પૂરેપૂરો જામશે ત્યારે શું થશે? શું થાય તેનું ઉદાહરણ અમદાવાદથી સામે આવ્યું છે. જેમાં થોડા જ વરસાદની અંદર રસ્તો સંપર્ક વિહોણો બની ગયો.!  

એટલો મોટો ભુવો પડ્યો કે... 

રસ્તા પર ભૂવા પડે છે, પુલ તૂટે છે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે ભ્રષ્ટાચારે હદ વટાવી દીધી છે.. આપણી સાથે પણ દુર્ઘટના સર્જાઈ શકે છે.... જે રસ્તા પર આપણે ઉભા હોઈ તે ગમે ત્યારે બેસી જાય, જે બ્રિજ પરથી આપણે પસાર થતા હોઈએ તે અચાનક ધડામ થઈ જાય. પાણી ભરાઈ જવાને કારણે ખાડા પડવા તો અમદાવાદીઓ માટે જાણે સામાન્ય બની ગયું છે પરંતુ જો રસ્તો જ તૂટી જાય તો.. આજુ બાજુ રસ્તો હોય અને વચ્ચે રસ્તો તૂટી ગયો હોય તો.. શેલામાં કંઈક આવુ જ બન્યું છે.... એક વીડિયો સામે આવ્યો છે જે શેલા વિસ્તારના કલબ ઓ સેવન રોડનો છે. 

કોંગ્રેસે આ ઘટનાને લઈ સાધ્યું સરકાર પર નિશાન!

જે વીડિયો સામે આવ્યો છે તેમાં દેખાઈ રહ્યું છે કે પહેલા નાનો ખાડો પડે અને જોત જોતામાં તે રસ્તો નીચે પડી જાય છે. આ ઘટનાને લઈ કોંગ્રેસ દ્વારા નિશાન સાધવામાં આવ્યું છે.. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું કે સતત ભ્રષ્ટાચાર.... અવિરત ભ્રષ્ટાચાર... ભાજપનાં ભવાડા.. વિકાસનાં નામે ગાબડા..! અમદાવાદનો વિસ્તારમાં શેલામાં ભ્રષ્ટાચારી ભાજપના ભવાડા ઉજાગર થઈ રહ્યા છે.. તે સિવાય શક્તિસિંહ ગોહિલે પણ આ મામલે ટ્વિટ કર્યું છે..  

  



એ હદે ભ્રષ્ટાચાર વધી ગયો છે કે..... 

ભ્રષ્ટાચાર એ હદે વધી ગયો છે કે થોડા દિવસ પહેલા બનેલો રસ્તો હોય કે બ્રિજ હોય તે લાંબો સમય ટકશે તેની ગેરંટી નથી.. ગમે ત્યારે કોઈ પણ રસ્તો તૂટી જવાની ઘટના બની રહી છે.. આપણે પણ ગમે ત્યારે દુર્ઘટનાનો શિકાર બની શકીએ છીએ.. જો આટલા ભ્રષ્ટાચાર વચ્ચે પણ આપણે જીવતા રહી શકીએ છીએ તો ભગવાનનો આભાર માનજો.. ત્યારે તમારૂં આ ભુવા મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો... 



ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.