અમદાવાદ પોલીસ તંત્રમાં ધરખમ ફેરફાર, એક સાથે 51 પોલીસ ઈન્સપેક્ટરની બદલી, જુઓ યાદી


  • Published By :
  • Published Date : 2023-08-29 20:43:07

અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ચાર્જ સંભાળ્યા બાદ એક્શન મોડમાં આવી ગયા છે.  જી.એસ. મલિક દ્વારા પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશ્નર જી.એસ. મલિકના આદેશથી એક જ સ્થાને ત્રણ વર્ષથી ફરજ બજાવતા પોલીસ ઈન્સપેક્ટરોને વિદાય આપી દેવામાં આવી છે.  શહેરમાં કંટ્રોલ રૂમ, સાયબર ક્રાઈમ, ટ્રાફિક, ક્રાઈમ બ્રાંચ સહિતના વિભાગોમાંથી ઈન્સ્પેક્ટરોની બદલી કરી દેવામાં આવી છે. જેમાં એક સાથે 50થી વધુ પોલીસ ઈન્સ્પેક્ટરોની બદલી કરી દેવામાં આવી છે. જી.એસ મલિક દ્વારા વહીવટી કારણોસર 51 પોલીસ ઈન્સ્પેક્ટરોની બદલી કરી નાંખવામાં આવતા પોલીસ બેડામાં સોંપો પડી ગયો છે. આ ઉપરાંત પોલીસ બેડામાં લિવ રિઝર્વમાં રહેલા 28 જેટલા ઈન્સ્પેક્ટરોને નિમણૂંક આપવામાં આવી છે. 



આ ઉચ્ચ પોલીસ અધિકારીઓની પણ બદલી


અમદાવાદની સોલા હાઈકોર્ટ પોલીસ મથકમાં હાલ ફરજ બજાવતા જે.બી અગ્રાવતને બદલી કરીને ટ્રાફિકમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા આર.એચ સોલંકીને સોલા હાઈકોર્ટ પોલીસ મથકમાં મૂકવામાં આવ્યા છે.હાલ ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથક ખાતે ફરજ બજાવતા વી.જે.ચાવડાની બદલી ચાંદખેડા કરવામાં આવી છે, જ્યારે ચાંદખેડામાં ફરજ બજાવતા વી.એસ. વણઝારાને સ્પેશિયલ બ્રાન્ચમાં મૂકવામાં આવ્યા છે. આવી જ રીતે એમ.સી ચૌધરીની વાસણા ખાતેથી બદલી કરીને PCBમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના બી.જી. ચેતરિયાને ટ્રાફિકમાં મૂકવામાં આવ્યા છે. હવે આગામી દિવસોમાં ફોજદારી બદલીનો લીથો બહાર પડશે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.