અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું, રીક્ષા, ટેક્સી , કેબ માટે બનાવ્યા આ કડક નિયમો, 1 નવેમ્બરથી થશે અમલ


  • Published By :
  • Published Date : 2023-10-01 20:08:59

હમણા થોડા દિવસ પહેલા રાત્રના સમયે વિદેશથી આવેલા દંપતિનો ઓગણજ સર્કલ પાસે પોલીસે તોડ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. પોલીસે 60 હજાર રૂપિયા પડાવ્યા તો પીડિત દંપતી હાઈકોર્ટ પહોંચ્યું અને હાઈકોર્ટે પોલીસને ખખડાવી કે તમે કરો છો શું? આ ઘટના બાદ હવે આ સમગ્ર મામલે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે કે હવે દરેક રિક્ષામાં કે કેબમાં ડ્રાઈવરની સીટની પાછળ એક પાટીયું લગાવાશે જેમાં રીક્ષા પાછળ હવે રિક્ષા ચાલકનું નામ, રીક્ષા માલિકનું નામ, રીક્ષાનો નંબર લખવો ફરજીયાત બનશે. પોલીસના નંબર, મહિલા હેલ્પલાઈન નંબર અને ટ્રાફિક પોલીસનો નંબર લખવો ફરજિયાત થશે.  આ સાથે જ પોલીસ હેલ્પલાઇન નંબર 100,મહિલા હેલ્પલાઇન નંબર 181 અને ટ્રાફિક હેલ્પલાઇન નંબર 1095 પણ લખવો ફરજિયાત બનશે.   


1 નવેમ્બરથી જાહેરનામાનો અમલ


અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામા બાદ હવેથી અમદાવાદ શહેરમાં ચાલતી તમામ ટેક્સી, કેબ અને ઓટો રિક્ષામાં મુસાફરી કરનાર વ્યક્તિ વાંચી શકે એવી રીતે અમુક વિગતો મૂકવામાં આવશે, વાહન ચલાવનારની સીટની પાછળ પાટીયું મારવું પડશે. આ પાટિયામાં વાહન નંબરથી લઈ માલિકનું નામ અને પોલીસના નંબર બધુ જ લખવું પડશે. તમામ વસ્તુ એવી રીતે લખવી પડશે કે  તે ભૂંસાય નહીં. લખાણના અક્ષર  એવી રીતે રાખવા પડશે કે જેથી મુસાફરી કરનાર વ્યક્તિને લખેલું બધું દેખાય વંચાય. આ જાહેરનામાનો અમલ પહેલી નવેમ્બરથી શરૂ થશે માટે રિક્ષા ચાલક, કેબ ચાલક અને ટેક્સી ચાલક ભાઈઓ બહેનોને આ વાત ખાસ ધ્યાને લેવી કે મહિનાની અંદર પાટીયું લગાવી લેવું. જો કોઈએ આ લખાણ ન લખ્યું તો તેમની સામે કડક કાર્યવાહી થશે. ક્યારેક એવું થતું હોય છે કે રિક્ષા માલિક રિક્ષા ભાડે આપતા હોય છે અને આમાં રિક્ષા ચાલકો બદલાતા રહે છે. તો વાહન ચાલકનું નામ એવી રીતે લખવાનું રહેશે કે જેથી તે ભૂંસી શકાય. બાકી જો રિક્ષા માલિક રિક્ષા ચલાવતાતા હોય તો પર્મેનન્ટ માર્કરથી રિક્ષા માલિકનું નામ લખવું અનિવાર્ય રહેશે. 


શા માટે કરાયો આદેશ?


આ આદેશ કરવા પાછળ અમદાવાદ પોલીસ વડાનો ઉદ્દેશ્ય એ હતો કે મુસાફરોની સલામતી રહે. રીક્ષા, કેબ,  ટેક્ષીમાં નાગરીકો સાથે છેંતરપીંડી, મોબાઈલ ચોરી, કિંમતી સામાનની ચોરી, ચીલઝડપ, મહિલાઓની છેડતી અને અપહરણ જેવા ગંભીર પ્રકારનાં બનાવો બનતા હોવાથી અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.  વધુમાં હમણા રક્ષક જ ભક્ષક બન્યા હોય એવી રીતે બનાવ સામે આવ્યો હતો. અમદાવાદ બહારથી ઘણા બધા લોકો નોકરી માટે કે ધંધા માટે આવતા હોય છે. તેમની સાથે છેતરપિંડી અને લૂંટના કિસ્સા બનતા હોય છે માટે આ નિર્ણય લેવાયો છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!