Ahmedabad : કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની અટકાયત....


  • Published By :
  • Published Date : 2024-04-06 17:04:52

પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ શરૂ થયેલો વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા અમદાવાદ પહોંચ્યા હતા અને તેમની અટકાયત કરી લેવામાં આવી છે.... એવી પણ માહિતી સામે આવી છે કે ગુજરાતના કરણી સેના અધ્યક્ષ વીરભદ્ર જાડેજાની પણ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે... 

મહિપાલસિંહ મકરાણાની પોલીસે કરી અટકાયત! 

ક્ષત્રિય સમાજ પોતાની માગ સાથે અડગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા અનેક જગ્યાઓ પર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે જૌહર કરવાની વાત ક્ષત્રાણીઓ દ્વારા કરવામાં આવી. રાજકોટ ખાતે આજે બેઠક થવાની હતી. આ દરમિયાન કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાત આવ્યા છે. મળતી માહિતી અનુસાર જૌહરની ચિમકી ઉચ્ચારનાર મહિલાઓને મળવા માટે તે જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમની અટકાયત કરી લીધા છે. ઉપરાંત તેમણે પરષોત્તમ રૂપાલા તેમજ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.  


ભાજપ પર કર્યા પ્રહાર!

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે ગુજરાત આવ્યા છે, ક્ષત્રિય સમાજની મહિલાઓને મળે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી છે. મહિપાલસિંહ મકરાણાની અટકાયત કરી લેવામાં આવી છે... મહિપાલસિંહ મકરાણાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે ભાજપ તેમજ પરષોત્તમ રૂપાલા પર શાબ્દિક પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે રાજપૂત, દલિત તમામ મહિલાઓની ઈજ્જત સરખી છે. આજે એવો દિવસ આવ્યો કે ક્ષત્રિયાણીઓને જૌહર કરવું પડી રહ્યું છે. જો મારી બહેન જોહર કરવાનું કહેશે તો અમે આગળ આવીશું. અમે જઈશું અને તમામ મહિલાઓને મનાવીશું. એવી માહિતી સામે આવી છે કે આવનાર દિવસોમાં પ્રચારની શરૂઆત કરવામાં આવશે, પોસ્ટરો છાપવામાં આવશે જેમાં અનેક સૂત્રો લખવામાં આવશે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.