Ahmedabad : કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની અટકાયત....


  • Published By :
  • Published Date : 2024-04-06 17:04:52

પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ શરૂ થયેલો વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા અમદાવાદ પહોંચ્યા હતા અને તેમની અટકાયત કરી લેવામાં આવી છે.... એવી પણ માહિતી સામે આવી છે કે ગુજરાતના કરણી સેના અધ્યક્ષ વીરભદ્ર જાડેજાની પણ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે... 

મહિપાલસિંહ મકરાણાની પોલીસે કરી અટકાયત! 

ક્ષત્રિય સમાજ પોતાની માગ સાથે અડગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા અનેક જગ્યાઓ પર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે જૌહર કરવાની વાત ક્ષત્રાણીઓ દ્વારા કરવામાં આવી. રાજકોટ ખાતે આજે બેઠક થવાની હતી. આ દરમિયાન કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાત આવ્યા છે. મળતી માહિતી અનુસાર જૌહરની ચિમકી ઉચ્ચારનાર મહિલાઓને મળવા માટે તે જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમની અટકાયત કરી લીધા છે. ઉપરાંત તેમણે પરષોત્તમ રૂપાલા તેમજ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.  


ભાજપ પર કર્યા પ્રહાર!

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે ગુજરાત આવ્યા છે, ક્ષત્રિય સમાજની મહિલાઓને મળે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી છે. મહિપાલસિંહ મકરાણાની અટકાયત કરી લેવામાં આવી છે... મહિપાલસિંહ મકરાણાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે ભાજપ તેમજ પરષોત્તમ રૂપાલા પર શાબ્દિક પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે રાજપૂત, દલિત તમામ મહિલાઓની ઈજ્જત સરખી છે. આજે એવો દિવસ આવ્યો કે ક્ષત્રિયાણીઓને જૌહર કરવું પડી રહ્યું છે. જો મારી બહેન જોહર કરવાનું કહેશે તો અમે આગળ આવીશું. અમે જઈશું અને તમામ મહિલાઓને મનાવીશું. એવી માહિતી સામે આવી છે કે આવનાર દિવસોમાં પ્રચારની શરૂઆત કરવામાં આવશે, પોસ્ટરો છાપવામાં આવશે જેમાં અનેક સૂત્રો લખવામાં આવશે.  




આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.