અમદાવાદના નારણપુરામાં લાગ્યા ભાજપ વિરોધી પોસ્ટરો, લોકોમાં અસંતોષનું આ છે કારણ


  • Published By :
  • Published Date : 2023-02-13 12:58:52

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 સીટો જીત્યા પછી પાર્ટી જાણે પ્રજાને ભૂલી ગઈ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો પણ આ પ્રકારની લાગણી અનુભવી રહ્યા છે. લોકોને સતત એવું લાગ્યા કરે છે. ચૂંટણી જીત્યા પછી ભાજપના નેતાઓને જાણે લોકોની સમસ્યાઓ સાંભળવામાં અને લોક કલ્યાણના કામો કરવા માટે કોઈ રસ દાખવતા નથી. આ જ કારણે અમદાવાદના નારણપુરામાં ભાજપ વિરોધી પોસ્ટરો લાગ્યા છે.


નારણપુરામાં ભાજપ વિરોધી પોસ્ટરો


અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સ્થાનિકોએ ભાજપનો વિરોધ કરતા પોસ્ટરો લગાવ્યા છે. રોડ કપાતને લઈ સ્થાનિકોએ સોસાયટી બહાર પોસ્ટર લગાવ્યા છે. આ પોસ્ટરોમાં ઈલેક્શન વખતે આપેલા વચનો નેતાઓ ભૂલી ગયા છે તેમ લખવામાં આવ્યું છે. નારણપુરા ક્રોસિંગથી લઈ નારણપુરા ગામ સુધીની સોસાયટીઓને AMCએ નોટિસ આપી છે. આ ઉપરાંત દુકાનોને પણ નોટિસ આપવામાં આવી છે. કપાતની નોટિસ મળતાં સ્થાનિકોમાં આક્રોશ છે. લોકોના કહેવા મુજબ, ઈલેકશન પહેલા નેતાઓએ રોડ રસ્તાનું કટિંગ નહીં આવે તેવા વચનો આપ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે નારણપુરા વિસ્ચતાર વર્ષોથી ભાજપનો મજબુત ગઢ રહ્યો છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.