AMC તંત્રએ અમદાવાદની 223 રેસ્ટોરન્ટ્સ અને ફરસાણની દુકાનોને ફટકારી નોટિસ


  • Published By :
  • Published Date : 2023-04-23 15:58:50

અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે અમદાવાદ શહેરની 387 રેસ્ટોરન્ટ્સ અને ફરસાણની દુકાનોનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આરોગ્ય વિભાગના કર્મચારીઓએ 280 કિલો વિવિધ ખાદ્ય ચીજો અને 479 લીટર પ્રવાહી  ખાદ્ય ચીજોને નષ્ટ કરી દીધી હતી. મ્યુનિશિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તમામ ખાદ્ય ચીજો માનવ આરોગ્ય માટે હાનિકારક હોવાથી તેનો નાશ કરવામાં આવ્યો છે.


ખાદ્ય ચીજોના 130 સેમ્પલ લેવાયા


AMCના આરોગ્ય વિભાગની ટીમોએ 223 જેટલી રેસ્ટોરન્ટ્સ અને કરિયાણાની દુકાનોને નોટિસ ફટકારી છે. આ રેસ્ટોરન્ટ્સ અને કરિયાણા દુકાનોમાં વેચાતી ખાદ્ય ચીજો માનવ આરોગ્ય માટે હાનિતકારક હોવાનું જણાયું છે. AMCના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આરોગ્ય વિભાગે ખાદ્ય ચીજોના 130 સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટિગ માટે લીધા હતા.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.