અમદાવાદમાં 70 જગ્યાએ રોડ બેસી જવાની આશંકા, AMC તંત્ર ચેતવણીનાં બોર્ડ ક્યારે મુકશે?


  • Published By :
  • Published Date : 2023-06-26 21:32:34

ગુજરાતમાં મેઘ મહેર શરૂ થઈ ગઈ છે, રાજ્યના વિવિધ ભાગોમાં આગામી દિવસોમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં 70 જેટલાં સ્થળો પર રોડ બેસી જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા ચાલુ વર્ષ દરમિયાન વોટર અને ડ્રેનેજનાં કામ માટે ખોદાણ કરવામાં આવ્યું હોવાથી આવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો કે જોવા જેવી બાબત એ છે કે ભયસુચક સ્થળોએ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના જાહેર ચેતવણીનાં બોર્ડ લગાવવામાં આવ્યાં નથી. જેથી જો ભારે વરસાદ થાય તો વાહનચાલકો માટે તે સ્થળો જોખમી સાબિત થઈ શકે છે.


ભયસુચક બોર્ડ અદ્રશ્ય 


અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા પ્રીમોન્સૂન કામગીરી હેઠળ ખોદાણ કરેલા રોડને શોધીને ત્યાં બોર્ડ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પ્રીમોન્સૂન કામગીરીના ભાગરૂપે આ બોર્ડ 15 જૂન પહેલાં લગાવવાં જોઈએ, પરંતુ આજે 26 જૂન થઈ ગઈ હોવા છતાં પણ આવા 70 જેટલા રોડ છે, જ્યાં ક્યાંય પણ બોર્ડ લગાવવામાં આવ્યું નથી. આ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની સ્પષ્ટ બેદરકારી અને ઢીલી કામગીરી જણાય છે. દરેક ઝોનમાં આવા 10થી 12 રોડ છે, પરંતું અધિકારીઓ આ બાબતે ધ્યાન આપતા નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા વોટર અને ડ્રેનેજની કામગીરી શહેરના વિવિધ વિસ્તારોમાં થતી હોય છે. રોડ ખોદ્યા બાદ એને પુરાણ કરી એના ઉપર ફરીથી રોડ બનાવી દેવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ચોમાસામાં ભારે વરસાદને કારણે પોલાણ થતાં રોડ બેસી જવાની ઘટનાઓ બનતી હોય છે. 70 જેટલા રોડ પર વોટર અને ડ્રેનેજલાઈનની કામગીરીનું ખોદાણ કર્યું હોવાથી ત્યાં બોર્ડ લગાવવામાં આવવાનાં હતાં, જો કે હજી સુધી આવા જાહેર ચેતવણીના કોઈ પણ બોર્ડ લગાવવામાં આવ્યાં નથી. 


વાહનચાલકો માટે જીવનું જોખમ


અમદાવાદ શહેરમાં અનેક સ્થળોએ AMC તંત્ર દ્વારા વોટર અને ડ્રેનેજની કામગીરીના પગલે તથા રોડ ખોદ્યા બાદ એને પુરાણ કરી એના ઉપર ફરીથી રોડ બનાવી દેવાના કારણે રોડ બેસી જવાની ઘટનાઓ બનતી હોય છે. ચોમાસામાં દરમિયાન આ સમસ્યા સૌથી વધુ ચિંતાજનક બની રહે છે. હવે જ્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી શહેરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવે જો આ સ્થળોએ વરસાદી પાણી ભરાશે તો આવા રોડ પરથી વાહન પસાર થાય ત્યારે રોડ બેસી જવાની પૂરી સંભાવના રહેલી છે. આ સ્થિતીમાં વાહનચાલકો માટે જીવનું જોખમ ઉભું થઈ શકે છે.


ચેતવણીનાં બોર્ડ શા માટે નથી લગાવાયા?


અમદાવાદમાં 70 જગ્યાએ રોડ બેસી જવાની આશંકા છે ત્યારે AMC તંત્ર દ્વારા શા માટે ચેતવણીસુચક બોર્ડ નથી લગાવાયા તે ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના અધિકારીઓ અને ભાજપના સત્તાધીશો દલીલ કરે છે કે  હવે વરસાદની પેટર્ન બદલાઈ છે અને ક્યાંક ગમે તેટલો અને ગમે ત્યારે વરસાદ પડી જાય છે. જો કે સાવચેતીના ભાગરૂપે નાગરિકોને હાલાકી ન પડે એના માટે ચોમાસા સંદર્ભે ઝડપી કામગીરી કરવી જોઈએ, તેની જગ્યાએ આજે ક્યાંય પણ આવાં બોર્ડ લગાવવામાં આવ્યાં નથી. ચોમાસામાં વાહનચાલકોને જે હાલાકી પડશે તે અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર શા માટે કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું તે મોટો સવાલ છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!