અમદાવાદીઓના હિતમાં AMCનો મોટો નિર્ણય, 2 હજારની નોટથી ભરી શકાશે એડવાન્સ ટેક્સ


  • Published By :
  • Published Date : 2023-05-30 20:02:10

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ બે હજારની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરતા ઘણા લોકોના પેટમાં તેલ રેડાયું છે. કાળું નાણું ધરાવતા લોકો માટે આટલી મોટી રકમની નોટો વટાવવામાં મુશ્કેલી પડી રહી છે. જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટેક્સ ચૂકવવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં. AMCનો એડવાન્સ ટેક્ષ 2000ની નોટથી ભરી શકાશે. 


AMCની રેવન્યુ કમિટીનો નિર્ણય


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમિટીની બેઠકમાં અમદાવાદીઓના હિતમાં આ વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદીઓ 30-9-2023 સુધી 2000ની નોટથી એડવાન્સ ટેક્ષ ભરી શકશે. AMCની રેવન્યુ કમિટીના આ નિર્ણયથી 2000 રૂપિયાની નોટ ધારકોને ફાયદો એ થશે કે તેમને બેંકનો ધક્કા નહીં ખાવા પડે અને તે લોકો એડવાન્સ ટેક્ષ ભરવામાં આ નોટનો ઉપયોગ કરી શકશે. 


ટેક્ષ નહીં ભરનારી કંપનીઓ સામે લાલ આંખ


AMCએ ટેક્ષ નહીં ભરનારી કંપનીઓ સામે લાલ આંખ કરી નોટિસ ફટકારી છે. વોડાફોન, આઈડિયા, રિલાયન્સ સહિત 6 કંપનીઓને નોટિસ પાઠવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ 6 કંપનીઓનો રૂ. 2.21 કરોડનો ટેક્ષ બાકી છે. ટેલિફોન કંપનીઓ ટેક્સ નહી ભરે તો આરઓ પરમિટ નહીં આપવામાં આવે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે, આગામી દિવસોમાં હોટલ, હોસ્પિટલ સહિતના સેક્ટરમાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ ટેક્ષ વસુલવામાં તમામ  કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!